શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: N-95 અને ત્રિપલ લેયર માસ્ક કઈ જગ્યાએ અને કેટલા રૂપિયામાં મળશે? જાણો
નાગરિકોને માસ્ક સરળતાએ મળી શકે તે માટે સરકારે મહત્વની જાહેરાત કરી હતી. આજતી વ્યાજબી ભાવે ગુજરાતમાં અમૂલ પાર્લર પરથી માસ્ક મળી શકશે.
કેન્દ્ર સરકારે દેશમાં 31 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈ લેવલ કમિટીની બેઠક મળી તેમાં છૂટછાટને લઈને નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે નાગરિકોને માસ્ક સરળતાએ મળી શકે તે માટે સરકારે મહત્વની જાહેરાત કરી હતી. આજતી વ્યાજબી ભાવે ગુજરાતમાં અમૂલ પાર્લર પરથી માસ્ક મળી શકશે.
ગુજરાત સરકારે લોકડાઉન 4માં અનેક છૂટછાટો આપી છે. જેને લઈને સોમવાર સાંજે સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી જે આજથી આગુ થશે. ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નાગરિકોને માસ્ક સરળતાએ મળે તે માટે N-95 અને ત્રિપલ લેયર માસ્કનું ગુજરાતમાં અમૂલ પાર્લર પરથી વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવશે.
જે વ્યકિતઓને N-95 કે ત્રિપલ લેયર માસ્ક પોતાના ઉપયોગ માટે ખરીદવા હોય તેમને રાજ્યમાં અમૂલના દૂધ પાર્લર ઉપરથી તે મળી શકશે. પ્રથમ તબક્કે અમદાવાદ મહાનગરમાં તેનું વેચાણ શરૂ કરાયા બાદ ક્રમશ: સમગ્ર રાજ્યમાં અમૂલ પાર્લર પરથી આવા માસ્કનું વેચાણ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, આવા માસ્કની કિંમત પણ N-95 માટે રૂ. 65 પ્રતિ માસ્ક અને ત્રિપલ લેયર માસ્ક માટે પ્રતિ માસ્ક રૂ. 5ની રાખવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion