શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રૂપાણી સરકારના મંત્રીના નામે મેસેજ વાયરલઃ બહારથી આવતાં લોકોને ઘરમાં ઘૂસવા ના દેશો, બીજું શું શું લખાયું છે ?
મંત્રી કિશોર કાનાણીના નામે આ મેસેજ ફરતો થયો છે. જોકે, આ મેસેજ કુમાર કાનાણીએ મોકલ્યો કે નહીં, તે સ્પષ્ટ નથી. પણ એમના નામે આ મેસેજ ફરી રહ્યો છે.
![રૂપાણી સરકારના મંત્રીના નામે મેસેજ વાયરલઃ બહારથી આવતાં લોકોને ઘરમાં ઘૂસવા ના દેશો, બીજું શું શું લખાયું છે ? Self lockdown message viral on name of Gujarat minister Kumar Kanani રૂપાણી સરકારના મંત્રીના નામે મેસેજ વાયરલઃ બહારથી આવતાં લોકોને ઘરમાં ઘૂસવા ના દેશો, બીજું શું શું લખાયું છે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/06172416/kumar-kanani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીના નામથી સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીને સંબોધીને કરેલા મેસેજ વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મેસેજ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. મંત્રી કિશોર કાનાણીના નામે આ મેસેજ ફરતો થયો છે. જોકે, આ મેસેજ કુમાર કાનાણીએ મોકલ્યો કે નહીં, તે સ્પષ્ટ નથી. પણ એમના નામે આ મેસેજ ફરી રહ્યો છે.
વોટ્સએપ પર આ મેસેજ વાયરલ કરાયો છે. આ મેસેજ નીચે પ્રમાણે છે.
તમામ સોસાયટી ના પ્રમુખશ્રી/આગેવાનો/ચેરમેનશ્રી/સેક્રેટરી માટે સરકારશ્રી નો સંદેશ
તમામ સોસાયટીઓના ચેરમેન/સેક્રેટરી શ્રી ને વિનમ્ર અપીલ કે સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીને લોકડાઉન કરે તથા સરકારી આદેશોનું પાલન કરાવે ! , બહાર થી આવતા કોઇપણ તમારા સગાસંબંધી , મિત્રો ને તમારા ઘરે આવવાની સ્પષ્ટ ના પાડો , કોઇ વિદેશ થી સોસાયટી મા આવેલ હોય તો તેની જાણ પણ સરકાર શ્રી ને કરો, કોરોના કેટલો ગંભીર છે ધ્યાન રાખશો, સરકારી અધઁસરકારી સ્કુલો , જીમ ને ખાલી કરીને હોસ્પીટલ મા ફેરવવા ના આદેશ નીકળી ચુક્યા છે, એટલે સોસાયટી મા ક્રિકેટ રમતા , રાત્રે ગંજીપતે અથવા ગેમ રમતા,રાત્રી વોકીંગ કરતા કે પાડોશી ને ત્યાં મીટીંગો કરીને બેસતા લોકો ને સમજાવો અને ઘર મા જ પુરાઇ રહેવા સમજાવો, જો સોસાયટી ના આગેવાનો અને પ્રમુખશ્રીઑ કડક પગલાં લેશે તો સો ટકા પરિસ્થિતિ પર કાબુ લાવી શકશે, ક્યાંક એવું ના બને કે આગામી સમય માં તમારા જ પાડોશી કે સોસાયટી માં શંકાસ્પદ કેસ આવે અને મોડું થય જાય તો પ્રમુખ તરીકે આપને મળેલા હક અને ફરજો ધ્યાનમાં રાખીને સોસાયટી પાસે અમલ કરાવી આપની દેશ પ્રત્યેની ફરજ અદા કરવા નો આજ યોગ્ય સમય છે.
લાખો ની વસ્તી ધરાવતા શહેરો માં આપની શેરીઓ સુધી ફરજ પરના અધિકારીઓ ને આવવું પડે એ આપડા માટે શરમ જનક બાબત હોય, તો જો ૫૬ ની છાતીવાળો આપણો વડાપ્રધાન જો ઘર મા રહેવાની સલાહ આપતા હોય તો સમજો કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે, સોસાયટી ના ચેરમેન/ સેક્રેટરી એલટઁ થઇને યોગ્ય પગલા લેશો.... આભાર....
લી...
આપનો સહદયી
કિશોર કાનાણી (કુમાર)
![રૂપાણી સરકારના મંત્રીના નામે મેસેજ વાયરલઃ બહારથી આવતાં લોકોને ઘરમાં ઘૂસવા ના દેશો, બીજું શું શું લખાયું છે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/10161934/KANANI-MESSAGE.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)