શોધખોળ કરો

Gir Somnath Rain: ગીર સોમનાથના આ ડેમના 4 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા 18 ગામોને કરાયા એલર્ટ

Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો છલકાયા છે. નદીઓ બે કાંઢે વહેવા લાગી છે. ગીર સોમનાથ વિસ્તારમાં બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે અનેક ડેમોમં નવા નીર આવ્યા છે.

Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો છલકાયા છે. નદીઓ બે કાંઢે વહેવા લાગી છે. ગીર સોમનાથ વિસ્તારમાં બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે અનેક ડેમોમં નવા નીર આવ્યા છે. ગીર જંગલને વરસાદે ધમરોડતા રાવલ ડેમના 6 પૈકીના ચાર દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા 18 જેટલા ગામોને વહીવટી તંત્ર દ્રારા અલર્ટ કરવામાં આવ્યા છે. નીચાળવાળા ગામના લોકોને રાવલ નદીના પટમાં ન જવા સુચના અપાઈ છે. રાવલ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે.  રાવલમાં વરસાદી પાણીની આવક થતા ઉના ગીરગઢડા તથા દીવ જીલ્લાની જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાવલ ડેમ ઉના, ગીરગઢડા તથા દીવ જીલ્લાની પીયત પાણીની જીવાદોરી છે.

 

રાજ્યભર જળબંબાકારની સ્થિતિ

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે  આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદનો અનુમાન છે. ગત 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, જાણીએ ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો.

ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27 પોઈન્ટ 72 ટકા વરસાદ વરસ્યો. સૌથી વધુ કચ્છમાં  સરેરાશ 87 પોઈન્ટ 33 ટકા વરસાદ થયો,...સૌરાષ્ટ્રમાં 41 પોઈન્ટ 18 ટકા અને  ઉત્તર ગુજરાતમાં વરસ્યો 27 પોઈન્ટ 33 ટકા વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ વરસ્યો.

24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ
  • સૌથી વધારે જુનાગઢના વિસાવદરમાં 16 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 11 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 10 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 8 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં બેચરાજી અને ધરમપુરમાં 7 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં રાજુલા, ચીખલીમાં સાડા 6 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ડાંગ, વઘઈમાં છ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં જુનાગઢ શહેરમાં 6 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વલસાડ અને વંથલીમાં 6 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા અને બરવાળામાં 5 ઈંચ વરસાદ
  • વાપી, ગણદેવી અને અમરેલીમાં 5 ઈંચ વરસાદ
  • જેતપુર અને વ્યારામાં 5-5 ઈંચ વરસાદ
  • ગાંધીધામ, વડીયા, મેંદરડામાં સાડા ઈંચ વરસાદ
  • ખાંભા, ગીર ગઢડા, લીલીયામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • મહુવા, ધંધુકા, સુબિરમાં ચાર ઈંચ વરસાદ
  • જલાલપોર, પારડી, ડોલવણમાં ચાર ઈંચ વરસાદ
  • નવસારી, જોડીયા, પ્રાંતિજમાં પોણા 4 ઈંચ વરસાદ
  • વાલોડ, ધારી, જોટાણામાં સાડા 3 ઈંચ વરસાદ
  • માંડવી, ધોરાજી, સાવરકુંડલામાં સાડા 3 ઈંચ વરસાદ
  • તાલાલા, ઉપલેટા, સોનગઢમાં 3 ઈંચ વરસાદ

રાજ્યમાં અતિભારે વરસાદને લઈને એનડીઆરએફની અલગ અલગ છ ટીમો રાજ્યના અલગ અલગ શહેરોમાં ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્રના જુનાગઢ,જામનગર સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પહોંચશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે  હજુ પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહે તેવો અનુમાન છે. ત્રણથી પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે. જ્યારે અરવલ્લીથી લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદનો અનુમાન છે. 5 જુલાઇ બાદ ભારે વરસાદની શક્યતા ઘટશે પરંતુ છૂટછવાયો સામાન્ય વરસાદ રહી શકે છે.  હવામાન વિભાગના અનુમાન મુજબ  6 જુલાઈથી 12 જુલાઈ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ વરસશે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
Embed widget