![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: સંગીત ક્ષેત્રે સંગીતકાર ઈસ્માઈલ દરબારનું સન્માન કરાયું
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
![Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: સંગીત ક્ષેત્રે સંગીતકાર ઈસ્માઈલ દરબારનું સન્માન કરાયું Abp Asmita Sanman Puraskar 2022: Musician Ismail Darbar honored in the field of music Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: સંગીત ક્ષેત્રે સંગીતકાર ઈસ્માઈલ દરબારનું સન્માન કરાયું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/55637f8278d37c6cb6063186e2a70d2f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન અને એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંગીત ક્ષેત્રે કામ કરીને બોલીવૂડમાં પોતાની સંગીતથી જાણીતા બનેલા મુળ સુરતના ઈસ્માઈલ દરબારનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરાયું હતું. ઈસ્માઈલ દરબારે વિવધ ફિલ્મોમાં સંગીત આપ્યું છે જેમાં હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ, તેરા જાદુ ચલ ગયા વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઈસ્માઈલ દરબારે એવોર્ડ સ્વિકારતાં હર્ષની લાગણી અનુભવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)