![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમરેલીમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કયા 12 ગામડાને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા ?
જે ગામોમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો હોય તેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં લોકોના કોરોના ટેસ્ટ કરાશે અને ગામમાં જ સારવાર અપાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા છે.
![અમરેલીમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કયા 12 ગામડાને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા ? Amreli: 12 villages declared containment zone after covid 19 spikes details here અમરેલીમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કયા 12 ગામડાને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/19/369f02af208085c664c0c1dbe6a44dc3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમરેલી: કોરોના વાયરસે રાજ્યને (Gujarat Corona Cases) અજગરી ભરડો લીધો છે. દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થતી જાય છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાનગરોની સ્થિતિ વધારે ખરાબ છે. કોરોનાને કાબુમાં કરવા લોકડાઉન (Lockdown) સિવાય વિકલ્પ નથી તે સમજીને લોકો સ્વયંભુ બંધ તરફ વળ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં સ્વૈચ્છિક લોકડાઉનનો (Self Lockdown) દરેક શહેરમાં, ગામેગામ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
અમરેલી જીલ્લાના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધતાં તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા જિલ્લાના 12 ગામોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમરેલી તાલુકાના મોટા આંકડિયા, વડેરા, વાંકિયા, વરૂડી, બાબરા તાલુકાનું કોટડાપીઠા, બગસરા તાલુકાનું હામાપુર, ધારી, જાફરાબાદનું ટીંબી, વડીયા-કુંકાવાવનું મોટી કુંકાવાવ, વડીયા, લાઠીનું મતિરાળા, લીલીયાનું મોટા લીલીયા ગામોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જે ગામોમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો હોય તેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં લોકોના કોરોના ટેસ્ટ કરાશે અને ગામમાં જ સારવાર અપાશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને બાદ કરતાં તમામ દુકાનો બંધ રહેશે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના (Coronavirus) સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રવિવારે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે. રાજ્યમાં રવિવારે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43 ટકા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)