Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ફરી વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 અને 18 જુલાઈ દરમિયાન નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે.

- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ: ૧૭-૧૮ જુલાઈએ નવી સિસ્ટમ સક્રિય થશે.
- આ સિસ્ટમથી ૨૦ જુલાઈ સુધી હળવા વરસાદી ઝાપટાં શક્ય.
- ૨૨-૩૦ જુલાઈએ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના.
- રથયાત્રાના દિવસે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે.
ગાંધીનગર: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ફરી વધવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 અને 18 જુલાઈ દરમિયાન નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના પ્રભાવથી રાજ્યના અનેક વિસ્તારોમાં 20 જુલાઈ સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ 22થી 30 જુલાઈ દરમિયાન વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
17 અને 18 જુલાઈએ સક્રિય થશે નવી વરસાદી સિસ્ટમ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 17 અને 18 જુલાઈ દરમિયાન વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે, જેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે. નવી વરસાદી સિસ્ટમના પ્રભાવથી 20 જુલાઈ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જેના કારણે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળવાની શક્યતા છે.
22થી 30 જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 22થી 30 જુલાઈ વચ્ચે વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પણ આ સિસ્ટમના પ્રભાવથી સારો વરસાદ થઈ શકે છે. જો આ અનુમાન મુજબ વરસાદ થાય તો ખેતી અને જળાશયો માટે લાભદાયી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો- Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદનું અનુમાન
અંબાલાલ પટેલે આવતીકાલે રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. જેના કારણે રથયાત્રાના આયોજન દરમિયાન હવામાનની સ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી શકે છે.
15 થી 20 જુલાઈ દરમિયાન ભારે વરસાદનું અનુમાન
દેશના મોટાભાગના ભાગોમાં ફરી એકવાર ચોમાસુ વધુ તીવ્ર બનવાની તૈયારીમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 15 થી 20 જુલાઈ દરમિયાન ઉત્તર, પૂર્વ, મધ્ય, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે.






















