શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો, જાણો વિગત
હુમલાખોરોએ એસ.પી. સ્વામી સવાર હતા તે કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા હતા. બાદમાં બંને શખ્સોએ બાઇક લઈને પણ સ્વામીને મારવા તેમની ઈનોવા ગાડીનો પીછો કર્યો હતો.
બોટદઃ ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો થયો છે. એસ.પી. સ્વામી આચાર્ય પક્ષના છે. મળતી માહિતી પ્રમાણે એસ.પી.સ્વામી ઇનોવા કાર લઈને મંદિરેથી બોટાદ જવા માટે નીકળ્યા હતા ત્યારે હુમલો થયો હતો.
ઇનોવા કારમાં જઈ રહેલા એસ.પી. સ્વામી પર ગઢડા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર ખાતે બે શખ્સોએ ગાડી પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ એસ.પી. સ્વામી સવાર હતા તે કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા હતા. બાદમાં બંને શખ્સોએ બાઇક લઈને પણ સ્વામીને મારવા તેમની ઈનોવા ગાડીનો પીછો કર્યો હતો.
ઘટના બાદ એસ.પી.સ્વામી સહિતના સંતો પોલીસ મથકે પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને માહિતી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion