શોધખોળ કરો

નડિયાદમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, હનુમાનજીની મૂર્તિ પર પથ્થર મારી ખંડિત કરી નાખી

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો અને કૌમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

KHEDA : ખેડા જિલ્લાના ખંભાત તાલુકામાં થયેલી જૂથ અથડામણના સમાચારને હજી જાજા દિવસ થયા નથી ત્યાં હવે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો અને કૌમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. નડિયાદમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી હિંસા ભડાકાવવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. 

નડિયાદ જિલ્લા પંચાયત  પાસે આ ઘટના ઘટી છે. અહિંસા ચોક  નીચે  આવેલ  હનુમાન  મંદિરની  પ્રતિમા ખંડિત કરવામાં આવી  છે.  સ્કૂટર પર  આવેલ  એક  આધેડ  દ્વારા મોટા પથ્થર થી  હનુમાન પ્રતિમા ખંડિત કરવામાં આવી  છે. હનુમાન મંદિરે એક્ટિવા લઈ આવેલા શખ્સે હનુમાનજીની મૂર્તિ પર  મુખ ઉપર મોટો પથ્થર મારતા મૂર્તિ ખંડિત થઇ હતી અને મૂર્તિની  આંખ તુટીને નીચે પડી હતી અને મુખ ઉપર પથ્થર વાગતા મુખ ખંડિત થયું હતું.

આ ઘટના બનતા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હતી. આ ઘટના બનતા ખેડા જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ અને જીલ્લા મહામંત્રી ઈશ્વરદાન બારોટ મંદિરે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને સીસીટીવી અને આજુબાજુના લોકોની મદદથી આ કૃત્ય કરનારની શોધખોળ હાથ ધરી છે.  

અલવરમાં 300 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું
હાલમાં જ રાજસ્થાનના અલવરના રાજગઢમાં ત્રણ મંદિરો તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. આ મંદિરોમાં ભગવાન શિવ, હનુમાનજી અને અન્ય અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ હતી. જે ખંડિત થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિર તોડી પાડવા દરમિયાન સ્થાનિક લોકોએ વિરોધ કર્યો ત્યારે પોલીસે બળપ્રયોગ કરીને સ્થાનિક લોકોને રસ્તા પરથી હટાવ્યા હતા.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક મંદિર 300 વર્ષ જૂનું હતું. 

રાજસ્થાનના રાજગઢ, અલવરમાં ત્રણ મંદિરો તોડી પાડવાના મામલા બાદ ભારતીય જનતા પાર્ટી રાજ્યની સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરી રહી છે. અલવરના સરાય મોહલ્લામાં સ્થિત 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડવાથી નારાજ ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસને પૂછ્યું કે શું આ ધર્મનિરપેક્ષતા છે?

BJPના IT સેલના પ્રભારી અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું- રાજસ્થાનના અલવરમાં વિકાસના નામે 300 વર્ષ જૂનું શિવ મંદિર તોડી પાડવામાં આવ્યું... કરૌલી અને જહાંગીરપુરીમાં આંસુ વહાવવા  અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી- આ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે.





વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?
ગુજરાતમાં નોકરીઓની વણઝાર: 5 વર્ષમાં 6.54 લાખ યુવાનોને મળી નોકરી, જાણો આખી વિગત
ગુજરાતમાં નોકરીઓની વણઝાર: 5 વર્ષમાં 6.54 લાખ યુવાનોને મળી નોકરી, જાણો આખી વિગત
ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?
ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?
વડગામ તાલુકા પંચાયત ચૂંટણીમાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી, જાણો અપડેટસ
વડગામ તાલુકા પંચાયત ચૂંટણીમાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી, જાણો અપડેટસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પડ્યો ખેલ !
Hun To Bolish : હું તો બોલીશ : કેમ પાછુ પડ્યું આપણું ગામ?
Vadgam News : વડગામ તા. પં.ના પ્રમુખની ચૂંટણીમાં બબાલ, ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ઉઠાવ્યાનો આરોપ
Surendranagar Farmers Protest : ધ્રાંગધ્રામાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે ખેડૂતોની કરી અટકાયત
Gujarat Farmers : ખેડૂતો માટે મોટા સમાચાર, ડીઝલને લઈ સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો
અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો
‘હવે થશે મહાયુદ્ધ, એવી ગોળીઓ છૂટશે કે...’, ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી, આરબ દેશોને કરી ખાસ અપીલ
‘હવે થશે મહાયુદ્ધ, એવી ગોળીઓ છૂટશે કે...’, ટ્રમ્પની ઈરાનને સીધી ધમકી, આરબ દેશોને કરી ખાસ અપીલ
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય; ડિઝલની મર્યાદા કરવામાં આવી નિશ્ચિત, જાણો શું થશે ફાયદો?
આવતીકાલનું હવામાનઃ 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી, 85 kmphની ઝડપે પવન ફૂંકાશે!
આવતીકાલનું હવામાનઃ 13 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી, 85 kmphની ઝડપે પવન ફૂંકાશે!
હવે આ લોકોને LPG સિલિન્ડર નહીં મળે, સરકારે તાત્કાલિક બહાર પાડ્યો આદેશ, જાણો નવો નિયમ
હવે આ લોકોને LPG સિલિન્ડર નહીં મળે, સરકારે તાત્કાલિક બહાર પાડ્યો આદેશ, જાણો નવો નિયમ
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ટેકનિકલ ખામી સર્જાતા હવામાં અટકી રોપવે, 300 પ્રવાસીઓ ફસાતા સેનાએ શરુ કરી બચાવ કામગીરી
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ટેકનિકલ ખામી સર્જાતા હવામાં અટકી રોપવે, 300 પ્રવાસીઓ ફસાતા સેનાએ શરુ કરી બચાવ કામગીરી
ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?
ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?
IPL પ્લેઓફનું ગણિત: હારવા છતાં RCB કે GT કેમ બહાર નહીં થાય? જાણી લો મોટો નિયમ
IPL પ્લેઓફનું ગણિત: હારવા છતાં RCB કે GT કેમ બહાર નહીં થાય? જાણી લો મોટો નિયમ
Embed widget