શોધખોળ કરો

Biporjoy: વધુ બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો કચ્છમાં આદેશ, હવે ક્યાં સુધી બંધ રહેશે શાળા-કૉલેજો

રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાની સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે, વાવાઝોડુ દરિયામાં રૌદ્ર રૂપ ધારણ કરી ચૂક્યુ છે, અને આજે સાંજ ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે

Biporjoy: રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાની સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે, વાવાઝોડુ દરિયામાં રૌદ્ર રૂપ ધારણ કરી ચૂક્યુ છે, અને આજે સાંજ ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે, હવામાન વિભાગે આ પહેલા જ રાજ્યમાં તમામને ચેતવી દીધા છે કે, આ દરમિયાન કોઇએ બહાર કે અન્ય કોઇ કામ ના કરવા. હવે બિપરજૉયની સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છમાં વધુ બે દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કચ્છમાં બિપરજૉય વાવાઝોડાની અસરને લઇને શૈક્ષણિક કાર્યને વધુ બે દિવસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, હવે તેને વધુ બે દિવસ લંબાવવામાં આવ્યો છે. હવે આગામી 17 જૂન સુધી કચ્છમાં તમામ શાળા-કૉલેજોના શૈક્ષણિક કાર્યને બંધ રાખવામાં આવશે. 

 

કામ વગર ઘર બહાર નીકળશો નહી, મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની લોકોને અપીલ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે બિપરજોય વવઝોડાની આ સંભવિત આપદાને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપિલમાં જણાવ્યું કે, ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે.  મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ.  મુખ્યમંત્રીએ સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે અને આવા સમયે રાજ્ય સરકાર દિવસરાત સૌની સલામતિ માટે સેવારત છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon: ગુજરાત માટે સારા સમાચાર, સરદાર સરોવર ડેમ 65 ટકા ભરાયો, રાજ્યના 25 જળાશયો હાઈ એલર્ટ પર
Monsoon: ગુજરાત માટે સારા સમાચાર, સરદાર સરોવર ડેમ 65 ટકા ભરાયો, રાજ્યના 25 જળાશયો હાઈ એલર્ટ પર
Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના
Rain Forecast: રથયાત્રા પર થશે અમીછાંટણાં, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે અમદાવાદમાં વરસાદની સંભાવના
ગુજરાત માટે આગામી 3 કલાક ભારે: તમામ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો મોટી આગાહી
ગુજરાત માટે આગામી 3 કલાક ભારે: તમામ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો મોટી આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
Embed widget