શોધખોળ કરો

બોર્ડની પરીક્ષા કેન્સલ પણ યુનિવર્સિટી પરીક્ષા યોજાશે, ગુજરાતની આ બે યુનિ.એ પરીક્ષાનું ટાઈમટેબલ કર્યું જાહેર

CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાત બોર્ડની પરીક્ષા અંગે આજે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વ્યકત કરાઈ છે. આ વચ્ચે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મંગળવારના પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું. B.sc, BA, BPA, MPA, BSW, BPA, MPAની સેમેસ્ટર -6ની પરીક્ષા આગામી 15 જૂને લેવાશે. આ ઉપરાંત MSC, MBA, BSC, BA (LLB)ના સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાશે. તો BJMC, MJMC, BRS સેમેસ્ટર 2ની પણ પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીની PG ફિઝિયોથેરાપી અને PG નર્સિંગની એન્ટ્રન્સ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. PG ફિઝિયોથેરાપી અને નર્સિંગની એન્ટ્રન્સ એકઝામ હવે 8 જૂને યોજાશે. અગાઉ 7મેના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું કોરોનાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડી નવી તારીખો જાહેર કરી છે.

CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાત બોર્ડની પરીક્ષા અંગે આજે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ગુજરાત બોર્ડે મંગળવારે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પરંતુ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતા આજે મળનાર કેબિનેટ બેઠકમાં પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવો કે પરીક્ષા રદ કરવી તે અંગે નિર્ણય લેવાશે.

મંગળવારે ગુજરાત બોર્ડે કરેલા નિર્ણય પ્રમાણે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10 બોર્ડના રિપીટરની પહેલી જુલાઈથી પરીક્ષા યોજાશે. સાયન્સમાં પહેલી જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો જ રહેશે.

વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિક-એમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે જ પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે જ પરીક્ષા લેવાશે.

સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે. સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે. જે વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર પરીક્ષા નહીં આપી શકે એમના માટે 25 દિવસ પછી ફરી પરીક્ષા યોજાશે. જો કે આ પરીક્ષા યથાવત રાખવી કે રદ કરવી તે અંગે આજે મળનારી કેબિનેટ બેઠકમાં લેવાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
Embed widget