શોધખોળ કરો

Biparjoy: કચ્છમાં વાવાઝોડું વિકરાળ બન્યુ, ભૂજમાં તાત્કાલિક ધોરણે શરૂ કરાયો કન્ટ્રૉલ રૂમ

બિપરજૉય વાવાઝોડાની ભયંકર અસરને ધ્યાનમાં રાખીને ભુજમાં કન્ટ્રૉલ રૂમ શરૂ કરી દેવાયો છે. અહીં બે કન્ટ્રૉલ રૂમ દ્વારા કુદરતી આફતને ખાળવા માટે સરકારી તંત્રએ પ્રયાસો કરી શરૂ કરી દીધા છે

Cyclone Update: રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ખરાબ થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, અને દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. દરિયામાં ભારે કરંટ અને લોકોની અવરજવર પર નજર રાખવા માટે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યુ છે. કચ્છમાં બિપરજૉયની અસર સૌથી વધુ હોવાથી હવે ભૂજમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કન્ટ્રૉલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. 

બિપરજૉય વાવાઝોડાની ભયંકર અસરને ધ્યાનમાં રાખીને ભુજમાં કન્ટ્રૉલ રૂમ શરૂ કરી દેવાયો છે. અહીં બે કન્ટ્રૉલ રૂમ દ્વારા કુદરતી આફતને ખાળવા માટે સરકારી તંત્રએ પ્રયાસો કરી શરૂ કરી દીધા છે. બિપરજૉય વાવાઝોડાના કારણે કન્ટ્રૉલ રૂમ 24 કલાક ચાલુ રખાશે. કલેકટર અને મામલતદારને દર એક કલાકે વરસાદની માહિતી પૂરી પાડવી ફરજિયાત રહેશે. એસટી બસની ફ્રિકવન્સી, સીટી બસ તેમજ રેલવે અંગે નાગરિકો માહિતી મેળવી રહ્યાં છે. કલેકટર કચેરી ખાતેના કન્ટ્રૉલ રૂમ પરથી સીધી કલેકટર અને મામલતદાર તેમજ પ્રભારી મંત્રીઓની નજર રહેશે. 

વાવાઝોડું બિપરજૉયને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવી આશંકા છે કે અરબી સમુદ્રમાંથી આવતું આ વાવાઝોડું થોડા દિવસોમાં ગુજરાતમાં લેન્ડફૉલ કરશે. આ વાવાઝોડું ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા સતત આપવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે (13 જૂન) વાવાઝોડુ બિપરજૉયની તૈયારીઓની સમીક્ષા બેઠક પણ યોજી હતી.

 

ગુજરાતના આઠ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની દહેશત, મહારાષ્ટ્ર- ગુજરાતમાં આટલા લોકોના થયા મોત

ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશામાં પરિવર્તન થયો છે. વાવાઝોડુ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડુ જખૌથી ફક્ત 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ 15 જૂનના રોજ ગુજરાત પર ત્રાટકે તેવી શક્યતા છે. સાયક્લોન બિપરજોય પહેલા ગુજરાત-મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડા અગાઉ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાંચ લોકોના મોત થયા છે. વાવાઝોડા અગાઉ સુરક્ષા અને સલામતીના ભાગરુપે 8 જિલ્લામાંથી અત્યાર સુધીમાં 37 હજાર 794 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ સહિત આઠ જિલ્લા પર થશે. તો સંભવિત સ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્યમાં સેવા યજ્ઞ પણ શરૂ થયા છે. રાજ્ય સરકારની સાથે સામાજિક સંસ્થાઓ પણ મેદાને આવી છે. રાજ્યમાં અનેક ઠેકાણે જરુરીયાત મંદો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આઠ જિલ્લામાં આવેલા 521 પીએચસી, સીએચસી હોસ્પિટલને આરોગ્ય રક્ષક દવા, સાધનો અને જનરેટરથી સજ્જ કરાયા છે. તો પૂર સંભવિત વિસ્તારમાં 239 એમ્બ્યુલંસ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા 4 CDHO, 15 મેડીકલ ઓફિસર અને સંયુકત પશુપાલન નિયામકને ફરજ પર તૈનાત કરાયા છે. તો માર્ગ અને મકાન વિભાગની 115 ટીમ બનાવીને પ્રભાવિત જિલ્લામાં કાર્યરત કરવામાં આવી છે. એન.ડી.આર.એફ.ની ૧૫ તથા એસ.ડી.આર.એફ.ની ૧૨ ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં ૪૦ હજારથી વધુ ફૂડ પેકેટ-બે હજાર કિલોગ્રામ મિલ્ક પાવડર-૪પ હજાર ટ્રેટાપેક મિલ્ક જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા તૈયાર કરવામાં આવ્યા છે.

મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ ૮ જિલ્લાઓમાં ૩૭,૭૯૪ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાંથી ૬૨૨૯ અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના મતે આગામી ૧૪ અને ૧પ જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. કચ્છ જિલ્લામાં આ વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. ઊર્જા વિભાગે ૮ સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં ૫૯૭ સહિત કુલ ૮૮૯ ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના ૬૯પ૦ ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે. ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને બચાવ રાહત માટે NDRFની ૧પ તથા SDRFની ૧૨ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત માટે આગામી 3 કલાક ભારે: તમામ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો મોટી આગાહી
ગુજરાત માટે આગામી 3 કલાક ભારે: તમામ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો મોટી આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો પ્રારંભ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
Embed widget