શોધખોળ કરો

Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 

લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથ :  લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વેરાવળ ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે  દેવાયત ખવડના જામીન મંજૂર કર્યા છે. આકરી શરતો સાથે લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી

કોર્ટે શરતોને આધિન જામીન મંજૂર કર્યા છે. જેમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશબંધી રહેશે. દેવાયત ખવડના એક લાખના બોન્ડ જ્યારે અન્ય 6 આરોપીઓના 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે.  દર 15  દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે. 

ગઈકાલે તાલાલા કોર્ટે દેવાયત ખવડ સહિત 7 આરોપીઓના જામીન  ના મંજૂર કર્યા હતા.  તમામ આરોપીઓને જૂનાગઢ જેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  અંતે આજે ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે જામીન મંજૂર કરતાં તમામ આરોપીઓ જેલ મુકત થયા છે.  

પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા હતા

17 સપ્ટેમ્બરના રોજ 7 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને અને અન્ય આરોપીઓને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસ રિમાન્ડ લંબાવવાની માંગને નકારી કાઢી હતી અને સાથે જ તેમની જામીન અરજી પણ નામંજૂર કરી હતી. કોર્ટના આદેશ મુજબ, દેવાયત ખવડ (Devayat Khavad bail news) સહિતના તમામ આરોપીઓને હવે જૂનાગઢ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. 

આ કેસમાં, અગાઉ નીચલી કોર્ટે દેવાયત ખવડ સહિતના આરોપીઓને જામીન આપ્યા હતા. જોકે, તાલાલા પોલીસે આ નિર્ણય સામે વાંધો ઉઠાવી વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સરકાર પક્ષે ધારદાર રજૂઆત કરતા, વેરાવળ કોર્ટે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો.

શું હતો હુમલાનો સમગ્ર મામલો ?

થોડા દિવસો અગાઉ તાલાલાના ચિત્રોડ ગામ નજીક અમદાવાદના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ (Devayat Khavad) સહિત કુલ 16 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં, આરોપીઓએ ધ્રુવરાજસિંહની કારને ફોર્ચ્યુનર અને ક્રેટા જેવી ગાડીઓથી ટક્કર મારી હતી. ત્યારબાદ, લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દેવાયત ખવડ પર રિવોલ્વર બતાવી 15 તોલા સોનાનો ચેઇન અને રોકડ રકમ લૂંટવાનો પણ આરોપ છે. આ ઘટના બાદ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget