શોધખોળ કરો

વિજય રૂપાણીની સંગઠન અને ભાજપના નેતાઓને ટકોર, સત્તા માટે કોંગ્રેસ સાથે સોદાબાજી.....

રાજકોટમાં ધુળેટીની ઉજવણી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રીનું નિવેદન; કોંગ્રેસ પ્રવક્તાએ ટીકા કરી.

Vijay Rupani BJP message: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ અને સંગઠનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોંગ્રેસના નેતાઓ ભલે આવે, પરંતુ તેમની સાથે સત્તા માટે કોઈપણ પ્રકારની સોદાબાજી કરવી જોઈએ નહીં. રાજકોટમાં પોતાના પરિવાર અને સોસાયટીના નાના બાળકો સહિતના લોકો સાથે ધુળેટીની ઉજવણી કરી રહેલા રૂપાણીએ આ મહત્વનું નિવેદન આપ્યું હતું.

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવું જોઈએ અને કોંગ્રેસ સાથે કોઈપણ સંજોગોમાં સત્તા માટે સમજૂતી ન કરવી જોઈએ. તેમણે ધુળેટીના પર્વ નિમિત્તે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને આ બાબતે ખાસ શીખ આપી હતી.

આ ઉપરાંત, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેમણે કોંગ્રેસની નીતિઓ અને નેતૃત્વની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રીનું આ મોટું નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના તાજેતરના નિવેદન પર કોંગ્રેસે તીખો પ્રતિભાવ આપ્યો છે. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ભાજપના નેતાઓ પાસેથી સાચું બોલવાની અપેક્ષા રાખવી મુશ્કેલ છે, પરંતુ હોળીના પર્વ નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રીએ આશ્ચર્યજનક રીતે સાચું નિવેદન આપ્યું છે.

કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રીનું આ નિવેદન ભાજપના તમામ કાર્યકર્તાઓની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના સિનિયર નેતાઓ પણ ખાનગીમાં સ્વીકારે છે કે પાર્ટીને વર્ષો સુધી સેવા આપ્યા બાદ કાર્યકર્તાઓને માત્ર 'ગાભા મારવા' માટે જ રાખવામાં આવે છે.

કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપમાં કાર્યકર્તાઓને ફક્ત ખુરશીઓ સાફ કરવા માટે જ રાખવામાં આવ્યા હોય તેવી લાગણી તેઓ અનુભવી રહ્યા છે. તેમણે રૂપાણીના નિવેદનને ભાજપના કાર્યકર્તાઓની પીડા અને નિરાશાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.

રાજ્યમાં ધુળેટીની ઉજવણી

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હોળી નિમિત્તે ભવ્ય રંગોત્સવ ઉજવણી કરાઈ, રાજસ્થાનથી ખાસ લવાયેલા 51 હજાર કિલો નેચરલ કલરથી ડીજેના તાલે ઢોલ નગારા સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી. સાથે જ દાદાને હોળી નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્દયોહતો. દેશ વિદેશના હજારો ભાવિકોએ દર્શન અને હોળી ઉજવણી કરી ધન્યતા અનુભવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા ફાઈનલ,ફક્ત આ એક ટીમનો કેપ્ટન વિદેશી
IPL 2025: બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા ફાઈનલ,ફક્ત આ એક ટીમનો કેપ્ટન વિદેશી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
Crime News: એકનાથ શિંદેની શિવસેનાના નેતાની હત્યા,બદમાશોએ પીછો કરીને ગોળી ધરબી દીધી, એક બાળક પણ ઘાયલ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા ફાઈનલ,ફક્ત આ એક ટીમનો કેપ્ટન વિદેશી
IPL 2025: બધી 10 ટીમોના કેપ્ટન થઈ ગયા ફાઈનલ,ફક્ત આ એક ટીમનો કેપ્ટન વિદેશી
Yuzvendra Chahal: યુઝર્વેન્દ્ર ચહલ આ વિદેશી ટીમ સાથે જોડાયો, ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા લીધો નિર્ણય
Yuzvendra Chahal: યુઝર્વેન્દ્ર ચહલ આ વિદેશી ટીમ સાથે જોડાયો, ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા લીધો નિર્ણય
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
15000 કરોડ રૂપિયાનો IPO લાવશે LG Electronics India, સેબીએ આપી મંજૂરી
15000 કરોડ રૂપિયાનો IPO લાવશે LG Electronics India, સેબીએ આપી મંજૂરી
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Embed widget