શોધખોળ કરો

ખંભાતમાં પથ્થરમારામાં વૃદ્ધનું મોત, હજારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા, જય જય શ્રીરામના લાગ્યા નારા

ખંભાતમાં પથ્થરમારાથી  મૃત્યુ પામનાર કનૈયાલાલ રાણાની અંતિમ યાત્રા નીકળી હતી. અઢી કિલોમીટર લાંબી અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.  જય જય શ્રી રામના નારા લાગ્યા હતા.

ખંભાતમાં પથ્થરમારાથી  મૃત્યુ પામનાર કનૈયાલાલ રાણાની અંતિમ યાત્રા નીકળી હતી. અઢી કિલોમીટર લાંબી અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.  જય જય શ્રી રામના નારા લાગ્યા હતા.   ઉચ્ચ પોલીસ અધિકારી અને એસઆરપીના કાફલા સાથે અંતિમ યાત્રા નીકળી હતી.  એસ.પી અજિત રાજીયણને  નિવેદન આપતા કહ્યું કે  વહેલી તકે હત્યાની તપાસ કરી ચાર્જશીટ કરાશે.  સાયોગીક પુરાવા, પ્રત્યદર્શીના નિવેદન અને સીસીટીવીની તપાસ કરાશે.  શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

ખંભાતના કનૈયાલાલ રાણાનું મોત નીપજ્યું હતું. જેમની અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ અંતિમયાત્રામાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. બનાવના સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

મૃતકના પરિવારે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. કનૈયાલાલના પુત્ર સહિત પરિવારે તટસ્થ ન્યાયની  રજૂઆત કરી.  પોલીસે આરોપીઓને સજા કરાવવાની હૈયા ધારણ આપી છે. મૃતકના ઘરની બહાર SRPની ટુકડી તૈનાત કરવામાં આવી છે. 

ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાનું ષડયંત્ર રચનારા 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  હત્યાના પ્રયાસની ધારા લગાવી ત્રણ ષડયંત્રકોરો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  પોલીસે વોટ્સઅપ વીડિયો અને CCTV ફુટેજના આધારે અન્યની શોધખોળ હાથ ધરી છે. હાલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

નોંધનિય છે કે, રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા પર એક જૂથ દ્રારા પથ્થરમારો કરવામાં આવતા સ્થિતિ ગંભીર બની હતી. ત્યાર બાદ આમને સામને થયેલા પથ્થરમારામાં 10 પોલીસ કર્મી સહિત 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસમાં પીઆઈ અને ડીવાયએસપીનો પણ સમાવેશ થાય છે. શહેરમાં 2 દુકાનો અને 2 ઘરને આગ પણ ચાપવામાં આવી હતી.
તો બીજી તરફ ગૃહમંત્રીએ આ મામલે ડીજીપી આશિષ ભાટિયા સાથે મીટિંગ કરી હતી જેમાં સીઆરપીએફ, એસપી તથા આઈજી પોલીસ કાફલાની સુરક્ષા વધારવાની ચર્ચા કરી હતી. ખંભાત ડી.વાય એસપી, એસ.પી સાથે રેન્જ આઈજીની મિટિંગ યોજી હતી. અત્યાર સુધીમાં 9 લોકોની ઘરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Morbi: 'ખેડૂતોએ નહીં પણ આગેવાનોએ મને આવવાની ના પાડી' ખેડૂતોને સમર્થન કરનાર હકાભા ગઢવીનો દાવો
Morbi: 'ખેડૂતોએ નહીં પણ આગેવાનોએ મને આવવાની ના પાડી' ખેડૂતોને સમર્થન કરનાર હકાભા ગઢવીનો દાવો
મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો
સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ,  ખેડૂતો થયા ખુશખુશાલ
સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ,  ખેડૂતો થયા ખુશખુશાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
weather update: વીજળીના કડાકા સાથે ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 KM ઝડપે પવન ફૂંકાશે 
weather update: વીજળીના કડાકા સાથે ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 KM ઝડપે પવન ફૂંકાશે 
Gold Silver Rate: સોનામાં  ₹1,600 ઘટાડો, ચાંદી પણ ₹5,700 સસ્તી, જુલાઈના પ્રથમ દિવસે શું છે લેટેસ્ટ કિંમત
Gold Silver Rate: સોનામાં  ₹1,600 ઘટાડો, ચાંદી પણ ₹5,700 સસ્તી, જુલાઈના પ્રથમ દિવસે શું છે લેટેસ્ટ કિંમત
8th pay commission: ફિટમેન્ટ ફેક્ટર 2.10 લાગુ થાય તો કર્મચારીઓનો પગાર કેટલો વધશે? સમજો ગણિત
8th pay commission: ફિટમેન્ટ ફેક્ટર 2.10 લાગુ થાય તો કર્મચારીઓનો પગાર કેટલો વધશે? સમજો ગણિત
Morbi: 'ખેડૂતોએ નહીં પણ આગેવાનોએ મને આવવાની ના પાડી' ખેડૂતોને સમર્થન કરનાર હકાભા ગઢવીનો દાવો
Morbi: 'ખેડૂતોએ નહીં પણ આગેવાનોએ મને આવવાની ના પાડી' ખેડૂતોને સમર્થન કરનાર હકાભા ગઢવીનો દાવો
Mumbai Rain: મુંબઈમાં ધોધમાર વરસાદ, અંધેરી સબવે બંધ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Mumbai Rain: મુંબઈમાં ધોધમાર વરસાદ, અંધેરી સબવે બંધ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો
Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
જાહેર સ્થળોએ પાન- માવાની પિચકારી મારનારાઓ સાવધાન, CMએ શું આપી ચીમકી?
Embed widget