શોધખોળ કરો

કાલે ખેડૂતોના ભારત બંધના એલાનને ગુજરાતમાંથી કોણે-કોણે આપ્યું સમર્થન ? જાણો વિગતો

કેંદ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આવતીકાલે મંગળવારે 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન આપ્યું છે.

અમદાવાદ: કેંદ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આવતીકાલે મંગળવારે 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન આપ્યું છે. દિલ્હીમાં આંદોલન કરતા ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને મહેસાણાની એક પણ APMCનું સમર્થન નથી. ઊંઝા, મહેસાણા, ખેરાલુ, વિજાપુર સહિત કડી APMC આવતીકાલે ચાલુ રહેશે. તમામ વેપારીઓ ખેડૂતોના માલની ખરીદી કરશે. ખેડૂતોના હિતમાં મહેસાણાની APMC ચાલુ રાખવામાં આવશે. ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને ભારતીય કિસાન સંઘનું સમર્થન નથી. આંદોલનમાં વિદેશીઓ, અન્ય રાજકીય પક્ષો પણ સામેલ થયા હોવાથી અરાજકતા ફેલાઈ હોવાનું ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે. કોઈ અનુચિત ઘટના ન ઘટે તે માટે જનતાને સર્તક રહેલા માટે અપીલ કરવામાં આવી છે. દિલ્હીમાં આંદોલન કરતા ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનમાં અમદાવાદ APMC પણ નહીં જોડાય. જમાલપુર APMC ચાલુ રાખવામાં આવશે. તમામ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. હાઈવે પરથી પસાર થતા ટ્રક માટેના રૂટ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. આવતીકાલે ભારત બંધના એલાનમાં બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડો પણ નહીં જોડાય. બનાસકાંઠાના પાલનપુર,ભાભર,પાંથાવાડા, થરાદ સહિતના માર્કેટયાર્ડો આવતીકાલે ચાલુ રહેશે. આવતીકાલે ખેડૂતોના ભારત બંધના એલાનને રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડના દલાલ મંડળે સમર્થન જાહેર કર્યું છે. આવતીકાલે રાજકોટ અને ગોંડલ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનને સમર્થન આપવા અમરેલી જિલ્લાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આવતી કાલે બંધ રહેશે. ખેડૂતોના બંધના સમર્થનમાં એપીએમસીના ચેરમેન મોહનભાઈ નાકરાણીએ બંધ રાખવાનું એલાન કર્યુ છે. જો કે અમરેલી જિલ્લાના અન્ય માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહશે. અખિલ ભારતીય કોળી સમાજે ભારત બંધને ટેકો આપ્યો છે. ભારત બંધને ગુજરાતના કોઈ સામાજીક સંગઠન તરફથી આ પહેલો ટેકો જાહેર થયો છે. આવતીકાલે બંધને કોળી સમાજ સંગઠનના કાર્યકરો સમર્થન આપશે. ભારત બંધને વિસનગર વેપારી મંડળે ટેકો જાહેર કર્યો છે. આવતી કાલે વિસનગર APMCના તમામ વેપારીઓએ દુકાનો બંદ રાખવાનો નિર્ણય લીધો છે. વિસનગર APMC ચાલુ રહેશે પણ વેપારી બંધમાં જોડાશે. વિસનગર ગંજ બજાર વેપારી મંડળે નિર્ણય લીધો છે. મોરબી જિલ્લાના બે યાર્ડ આવતીકાલે બંધ રહેશે. મોરબી માર્કેટિગ યાર્ડ અને વાંકાનેર માર્કેટીંગ યાર્ડ બંઘ રાખી ખેડૂતોના ભારત બંધને સમર્થન આપ્યું છે. જો કે હળવદ માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ રહેશે. ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ આવતીકાલે તમામ APMC બંધ કરાવશે. કૉંગ્રેસ APMC બંધ કરાવ્યા બાદ બજારો પણ બંધ કરાવશે. ધારાસભ્યોની મિટિંગમાં પ્રમુખ અમિત ચાવડાએ આ સૂચના આપી છે. અમિત ચાવડાએ કૉંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરોને કોઈ પણ ઘર્ષણમાં ન ઉતરવાની પણ કડક સૂચના આપી છે. ખેડૂતોને સાથે રાખીને જ બંધ કરાવવા જવાનો તમામ કાર્યકરોને અને ધારાસભ્યોને આદેશ આપ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
18 વર્ષના ખેલાડીએ સદી ફટકારી તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, ઐતિહાસિક કરિશ્મા કરી બતાવ્યો 
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
56 લોકોના મોત, શ્રીલંકામાં કહેર મચાવ્યા બાદ ભારત તરફ વધી રહ્યું છે ચક્રવાત 'દિતવાહ',IMD  એ આપ્યું એલર્ટ  
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
India GDP: બુલેટ ટ્રેનની સ્પીડે દોડી ભારતની GDP, અનુમાન કરતા પણ વધુ આંકડા, આવી ગયો રિપોર્ટ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
8th Pay Commission: શું 8માં પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થામાં થશે વધારો, જાણો શું થશે મોટો બદલાવ
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
2027 ODI વર્લ્ડ કપમાંથી બહાર નહીં થાય રોહિત-વિરાટ? ભારતીય કોચના નિવેદનથી ચાહકોમાં ખુશીની લહેર
Embed widget