શોધખોળ કરો

ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"

Brijrajdan Gadhvi Vs Devayat Khavad: સમાધાન બાદ ફરી શબ્દોના બાણ, દેવાયત ખવડે કહ્યું - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ".

Brijrajdan Gadhvi Vs Devayat Khavad: ગુજરાતના લોકસાહિત્યના બે જાણીતા કલાકારો, બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. અગાઉ બંને વચ્ચે થયેલા વાકયુદ્ધ બાદ સમાજે મધ્યસ્થી કરી મઢડાના સોનબાઈ માતાના મંદિરે સમાધાન કરાવ્યું હતું. પરંતુ, આ સમાધાન લાંબું ટક્યું નહીં અને ફરીથી બંને કલાકારો વચ્ચે શબ્દોની તકરાર શરૂ થઈ ગઈ છે.

આ વખતે વિવાદની શરૂઆત બ્રિજરાજદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. ૧ જાન્યુઆરીના રોજ યોજાયેલા એક ડાયરામાં બ્રિજરાજદાને કોઈનું નામ લીધા વિના દેવાયત ખવડ પર કટાક્ષ કર્યો હતો. દેવાયત ખવડે અગાઉ વર્ષ ૨૦૨૫થી માત્ર સિલેક્ટેડ ડાયરા કરવાની વાત કરી હતી, જેના પર બ્રિજરાજદાને ટોણો માર્યો હતો. આ કટાક્ષ દેવાયત ખવડને પસંદ આવ્યો નહીં અને તેમણે પણ વળતો જવાબ આપ્યો હતો.

દેવાયત ખવડે એક ડાયરામાં જણાવ્યું હતું કે સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા પછી પણ બ્રિજરાજદાને તેમના વિશે બોલવાનું ચાલુ રાખ્યું. તેમણે એમ પણ કહ્યું કે બ્રિજરાજદાનને માતાનો મલાજો પણ નથી. દેવાયત ખવડે ગુસ્સામાં એમ પણ કહ્યું કે "હવે જો માફી માગું તો ડાયરા મુકી દઈશ." આ ઉપરાંત દેવાયત ખવડના પડકારનો જવાબ આપતા બ્રિજરાજદાને કહ્યું કે "મારે બોડીગાર્ડ રાખવાની જરૂર નથી." તેમણે કહ્યું હતું કે સમાધાન પછી પણ દેવાયત ખવડે ખૂબ ચાળા કર્યા હતા અને સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું.

બંને કલાકારો એકબીજાનું નામ લીધા વિના જાહેરમાં આક્ષેપબાજી કરતા હોય તેવા ઘણા વિડીયો સામે આવ્યા છે. આ વિવાદની શરૂઆત ૧લી જાન્યુઆરીના રોજ બ્રિજદાન ગઢવીના એક ડાયરામાં થઈ હતી. તેમણે દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું હતું કે, "સાગર હમણાં કહેતો હતો કે, ૨૦૨૫થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે." આ નિવેદનને દેવાયત ખવડ પરના કટાક્ષ તરીકે જોવામાં આવ્યું હતું, કારણ કે દેવાયત ખવડે ૨૦૨૨માં જાહેરાત કરી હતી કે તેઓ ૨૦૨૫થી માત્ર પસંદગીના ડાયરા જ કરશે.

આ કટાક્ષનો જવાબ આપતા દેવાયત ખવડે એક ડાયરામાં બ્રિજદાન ગઢવી પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "૨૦૨૨માં મેં નિવેદન આપ્યું હતું કે હું ૨૦૨૫માં સિલેક્ટેડ ડાયરા કરીશ, પરંતુ આ વાત કેટલાક લોકોને પચાવી શકાતી નથી. કલાકાર તરીકે લોકોએ મને પૈસા આપ્યા છે, ડાયલોગબાજી કરવા માટે નહીં. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા પછી પણ મારા વિશે બોલવામાં આવ્યું. તેમને માનો મલાજો પણ ન રહ્યો, ઓછામાં ઓછું માતાજીનું સન્માન તો જાળવવું જોઈએ. હું તો માતાજીના મંદિરમાં ઉભો હતો એટલે માફી માંગી હતી, પરંતુ જો હવે માફી માંગવાનો વારો આવશે તો હું ડાયરા કરવાનું છોડી દઈશ. જો કોઈ મને માફી માંગવા માટે મજબૂર કરશે, તો હું તે જ દિવસથી ડાયરા છોડી દઈશ."

આમ, બે લોકકલાકારો વચ્ચે થયેલું સમાધાન ફરી એકવાર તૂટ્યું છે અને બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ ક્યાં સુધી ચાલે છે અને શું ફરીથી સમાધાનના પ્રયાસો કરવામાં આવશે કે નહીં.

આ પણ વાંચો....

દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget