શોધખોળ કરો

ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"

Brijrajdan Gadhvi Vs Devayat Khavad: સમાધાન બાદ ફરી શબ્દોના બાણ, દેવાયત ખવડે કહ્યું - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ".

Brijrajdan Gadhvi Vs Devayat Khavad: ગુજરાતના લોકસાહિત્યના બે જાણીતા કલાકારો, બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. અગાઉ બંને વચ્ચે થયેલા વાકયુદ્ધ બાદ સમાજે મધ્યસ્થી કરી મઢડાના સોનબાઈ માતાના મંદિરે સમાધાન કરાવ્યું હતું. પરંતુ, આ સમાધાન લાંબું ટક્યું નહીં અને ફરીથી બંને કલાકારો વચ્ચે શબ્દોની તકરાર શરૂ થઈ ગઈ છે.

આ વખતે વિવાદની શરૂઆત બ્રિજરાજદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. ૧ જાન્યુઆરીના રોજ યોજાયેલા એક ડાયરામાં બ્રિજરાજદાને કોઈનું નામ લીધા વિના દેવાયત ખવડ પર કટાક્ષ કર્યો હતો. દેવાયત ખવડે અગાઉ વર્ષ ૨૦૨૫થી માત્ર સિલેક્ટેડ ડાયરા કરવાની વાત કરી હતી, જેના પર બ્રિજરાજદાને ટોણો માર્યો હતો. આ કટાક્ષ દેવાયત ખવડને પસંદ આવ્યો નહીં અને તેમણે પણ વળતો જવાબ આપ્યો હતો.

દેવાયત ખવડે એક ડાયરામાં જણાવ્યું હતું કે સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા પછી પણ બ્રિજરાજદાને તેમના વિશે બોલવાનું ચાલુ રાખ્યું. તેમણે એમ પણ કહ્યું કે બ્રિજરાજદાનને માતાનો મલાજો પણ નથી. દેવાયત ખવડે ગુસ્સામાં એમ પણ કહ્યું કે "હવે જો માફી માગું તો ડાયરા મુકી દઈશ." આ ઉપરાંત દેવાયત ખવડના પડકારનો જવાબ આપતા બ્રિજરાજદાને કહ્યું કે "મારે બોડીગાર્ડ રાખવાની જરૂર નથી." તેમણે કહ્યું હતું કે સમાધાન પછી પણ દેવાયત ખવડે ખૂબ ચાળા કર્યા હતા અને સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું.

બંને કલાકારો એકબીજાનું નામ લીધા વિના જાહેરમાં આક્ષેપબાજી કરતા હોય તેવા ઘણા વિડીયો સામે આવ્યા છે. આ વિવાદની શરૂઆત ૧લી જાન્યુઆરીના રોજ બ્રિજદાન ગઢવીના એક ડાયરામાં થઈ હતી. તેમણે દેવાયત ખવડનું નામ લીધા વગર કહ્યું હતું કે, "સાગર હમણાં કહેતો હતો કે, ૨૦૨૫થી હવે શાંતિ છે અને હવે વાંધો નહીં આવે." આ નિવેદનને દેવાયત ખવડ પરના કટાક્ષ તરીકે જોવામાં આવ્યું હતું, કારણ કે દેવાયત ખવડે ૨૦૨૨માં જાહેરાત કરી હતી કે તેઓ ૨૦૨૫થી માત્ર પસંદગીના ડાયરા જ કરશે.

આ કટાક્ષનો જવાબ આપતા દેવાયત ખવડે એક ડાયરામાં બ્રિજદાન ગઢવી પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "૨૦૨૨માં મેં નિવેદન આપ્યું હતું કે હું ૨૦૨૫માં સિલેક્ટેડ ડાયરા કરીશ, પરંતુ આ વાત કેટલાક લોકોને પચાવી શકાતી નથી. કલાકાર તરીકે લોકોએ મને પૈસા આપ્યા છે, ડાયલોગબાજી કરવા માટે નહીં. સોનબાઈ માતાના મંદિરમાં સમાધાન થયા પછી પણ મારા વિશે બોલવામાં આવ્યું. તેમને માનો મલાજો પણ ન રહ્યો, ઓછામાં ઓછું માતાજીનું સન્માન તો જાળવવું જોઈએ. હું તો માતાજીના મંદિરમાં ઉભો હતો એટલે માફી માંગી હતી, પરંતુ જો હવે માફી માંગવાનો વારો આવશે તો હું ડાયરા કરવાનું છોડી દઈશ. જો કોઈ મને માફી માંગવા માટે મજબૂર કરશે, તો હું તે જ દિવસથી ડાયરા છોડી દઈશ."

આમ, બે લોકકલાકારો વચ્ચે થયેલું સમાધાન ફરી એકવાર તૂટ્યું છે અને બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ ક્યાં સુધી ચાલે છે અને શું ફરીથી સમાધાનના પ્રયાસો કરવામાં આવશે કે નહીં.

આ પણ વાંચો....

દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget