![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Heart Attack Death: હાર્ટ અટેકે વધુ એક યુવકનો લીધો ભોગ, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર ધબકાર ચૂકી ગયો
રાજ્યમાં હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે, કચ્છમાં વધુ એક વ્યક્તિએ હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી, પૂર્વ રાજ્ય મંત્રી તારાચંદ છેડાના પુત્ર જયેશ છેડાનું નિધન થયું છે.
![Heart Attack Death: હાર્ટ અટેકે વધુ એક યુવકનો લીધો ભોગ, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર ધબકાર ચૂકી ગયો Former state minister Tarachand Kheda's son died due to heart attack Heart Attack Death: હાર્ટ અટેકે વધુ એક યુવકનો લીધો ભોગ, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર ધબકાર ચૂકી ગયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/b8ef820fd0638b10bfebfef964d47dae170089301147481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કચ્છ:હાર્ટ અટેકે વધુ એક આશાસ્પદ યુવકનો જીવ લીધો છે. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્રનું હાર્ટ અટેકના કારણે નિધન થયુ છે. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર જયેશ છેડાને એટેક આવતા અચાનક નિધનથી પર સ્તબ્ધ થઇ ગયો છે. ગઇ કાલે બપોરે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હાર્ટ અટેક આવતા તેમનું નિધન થ.યું હતું.તેઓ હંમેશા સામાજિક અગ્રણી અને લોકોના સેવામાં હમેશા તત્પર રહેતા, સમાજમાં તેમની સારી લોકચાહના હોવાથી સમગ્ર પરિવાર સહિત તેમના પંથકમાં માહોલ શોકમગ્ન છે.
જંબુસરમાં વધુ એક આશાસ્પદ યુવકનો હાર્ટ અટેકે લીધો ભોગ
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. આજે વધુ એક આશાસ્પદ યુવક હાર્ટ અટેકની ભેટ ચઢી ગયો. જંબુસરના 28 વર્ષિય યુવક શાહરૂખ અબ્બાસખા પઠાણનું હાર્ટ અટેકથી નિધન થયું છે. શાહરૂખને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હાર્ટ અટેક આવી જતાં શાહરૂખને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. શાહરૂખના નિધનથી પરિવારમાં શોકમગ્ન છે. અચાનક નિધનથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. યુવક તલાવપુરા વિસ્તારમાં રહેતો હતો.
મુંબઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા 37 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત
રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.રાજકોટ સુરત બાદ આજે નર્મદામાં 37 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલાં મુંબઈના 37 વર્ષિય યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. મુંબઈથી 37 વર્ષિય કેવલ મનસુખલાલ હરીયા એકતાનગર ખાતે એસ.ઓ.યુ ફરવા માટે આવ્યા હતા. તેઓ ખડગદા ગામે વૃંદાવન હોમસ્ટે ખાતે રોકાયેલ હતા. આ તે દરમિયાન કેવલને છાતીમાં દુખાવો થતા તેના મિત્રો એકતાનગર ખાનગી દવાખાને સારવાર કરવા માટે લઈ ગયા હતા જો કે ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગરૂડેશ્વર સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવાની સલાહ આપી હતી. જો કે ત્યાં પહોંચતાં જ ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે કેવલ મનસુખલાલ હરીયાને મૃત જાહેર કર્યો હતા. કેવલના આટલી નાની વયે અચાનક નિધનથી પરિવારના સભ્યો સ્તબ્ધ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)