શોધખોળ કરો

Gandhinagar: યુવરાજસિંહે દહેગામમાં પ્લોટમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યાનો ખુલાસો

ડમીકાંડમાં તોડકાંડ મામલે દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે

ગાંધીનગર: ડમીકાંડમાં તોડકાંડ મામલે દરરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, યુવરાજસિંહે દહેગામમાં આવેલા એક પ્લોટમાં અડધા કરોડ કરતા પણ વધુની રકમનું રોકાણ કર્યું છે. દહેગામમાં ગાંધીનગર-મોટા ચિલોડા રોડ પર વ્રજ ગોપી રેસિડેન્સી નામથી એક રહેણાંક સ્કીમ આવેલી છે. આ સ્કીમમાં યુવરાજસિંહે 29 નંબરનો બંગલો ખરીદ્યો હતો. 3BHK બંગલામાં 150 વારમાંથી 146 વારનું તો બાંધકામ છે. અમદાવાદના નેહરુનગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ભરતભાઈ દોશી પાસેથી આ બંગલો ખરીદવામાં આવ્યો છે. હાલ બંગલો ભરતભાઈ દોશીના પુત્ર મનન દોશીના નામે છે.

Dummy scam: યુવરાજસિંહ જાડેજા સામેના તોડકાંડના આરોપમાં શું થયો મોટો ખુલાસો?

Dummy scam: યુવરાજસિંહ જાડેજા સામેના તોડકાંડના આરોપમાં મોટો ખુલાસો થયો છે. ભાવનગર પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.  યુવરાજસિંહ તોડકાંડની રકમમાંથી પ્રોપર્ટી ખરીદવાના હતા તેવો પોલીસનો દાવો છે. ગાંધીનગર જિલ્લાના દેહગામમાં યુવરાજસિંહ પોતાના નામે પ્રોપર્ટી ખરીદવાના હતા તેવો પોલીસનો દાવો છે. પ્રોપર્ટી ખરીદવા માટે યુવરાજસિંહ જાડેજાએ સ્ટેમ્પ પેપર ખરીદ્યું હતું. યુવરાજસિંહ જાડેજાએ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીધું હોવાનો પોલીસે દાવો કર્યો છે.  12મી એપ્રિલના રોજ યુવરાજસિંહે સ્ટેમ્પ પેપર ખરીદ્યું હતું. ભાવનગર પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.

આજે યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાશે

ભાવનગર તોડકાંડ પ્રકરણમાં આજે યુવરાજસિંહ જાડેજાના ફરી રિમાન્ડ માંગવામાં આવશે. એ.ડિવિઝન નીલમબાગ પોલીસ મથકમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત છ વિરુદ્ધ એક કરોડની ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. 21 એપ્રિલનાં રોજ યુવરાસિંહની ભાવનગર પોલીસે તોડકાંડમાં ધરપકડ કરી હતી. 22 એપ્રિલનાં રોજ યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજું કરતા સાત દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા જે આજે પુરા થયા છે. એક કરોડની ખડણી મામલે પોલીસે અત્યાર સુધીમાં 76 લાખ 50 હજાર રિકવર કર્યા છે. આજે બપોરે બાદ યુવરાજસિંહ જાડેજાને ફરી વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં તેમના રિમાન્ડ માટેની પોલીસ માંગ કરશે.

ભાવનગરમાં ડમીકાંડમાં વધુ પાંચ આરોપીઓ કરાઇ અટકાયત

ડમીકાંડમાં સીટ દ્ધારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ગોપાલ લાધવા, ઈકબાલ લોંડીયા, હનીફ લોંડીયા, પ્રવીણ સોલંકી, જીતેન્દ્રસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરવામાં આવેલા પાંચેય શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પકડાયેલા ઇસમોની પૂછપરછ દરમિયાન ડમીકાંડમાં કોને કેટલા રૂપિયા આપ્યા ? કોનાં કહેવાથી નોકરીનું સેટિંગ કર્યું હતું ? તે તપાસ દરમિયાન બહાર આવશે.

તો આ તરફ ભાવનગર તોડકાંડમાં સામેલ બીપીન ત્રિવેદીને આખરે સરકારી શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બીપીન ત્રિવેદી ભાવનગર શહેરની સરકારી શાળા નંબર 38માં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. બીપીન ત્રિવેદીએ વીડિયો વાયરલ કરીને ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર અમુક ઉમેદવારોના નામ ન જાહેર કરવા માટે રૂપિયાનું સેટલમેન્ટ કર્યાનો આરોપ લગાવ્યો હતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget