શોધખોળ કરો

છોટા ઉદેપુરમાં કિશન ભરવાડની શ્રદ્ધાંજલિ સભામાં વિધર્મીઓનું ટોળું ધસી આવતાં જૂથ અથડામણ

ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના કારણે લોકોમાં આક્રોશ છે ત્યારે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.

ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના કારણે લોકોમાં આક્રોશ છે ત્યારે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.   ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળું ધસી આવતાં જૂથ અથડામણ થઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇને અથડામણનો વીડિયો વાયરલ કરનારા સહિત 6 લોકોની અટકાયત કરી છે. જૂથ અથડામણ થતાં છોટાઉદેપુરમાં તંગદિલી ફેલાઇ ગઇ છે.  

કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. કિશન ભરવાડને ન્યાય આપવાની માગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. રાજ્યના અનેક શહેરોમાં બંધ પાળવામા આવી રહ્યો છે.  છોટાઉદેપુરમાં ગઇકાલે સાંજે હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિન્દુ યુવકે સોશિયલ મીડિયા પર કિશન ભરવાડની પોસ્ટ શેર કરતાં જૂથ અથડામણ થઇ હતી, જેને લઇને બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરી છે.

આ દરમિયાન છોટાઉદેપુરના હિન્દુ સંગઠનો દ્વારા કિશન ભરવાડને ન્યાય આપવાની માગ સાથે મૌન રેલી કાઢવાની જાહેરાત કરતાં  ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનો દ્વારા છોટાઉદેપુર મહાકાળી મંદિરથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. છોટાઉદેપુરમાં મોડી રાતથી નગરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 

રાજકોટમાં ભરવાડ સમાજ અને અન્ય હિંદુવાદી સંગઠનોની વિશાળ રેલી

રાજકોટમાં પણ ધંધુકાના કિશન ભરવાડ ની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે રાજકોટમાં ભરવાડ સમાજ અને અન્ય હિંદુવાદી સંગઠનોની વિશાળ રેલી નિકળી હતી. આ રેલી પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને યુવાનોને દોડાવી દોડાવીને દંડા ફટકાર્યા હતા. પોલીસે યુવકોને દંડા ફટકારી ફટકારીને ભગાડ્યા હતા.

રાજકોટમાં યુવાનોએ અલગ અલગ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા કલેકટર કટેરી સુધી રેલી નીકળી હતી. જિલ્લા કલેકટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ રેલીમાં કિશન ભરવાડની હત્યાને આતંકવાદી કૃત્ય ગણાવીને આતંકવાદનો કલમોનો ઉમેરો કરવા ભરવાડ સમાજે માગ કરી છે. હિન્દુવાદી સંગઠનો પણ વિરોધમાં જોડાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Embed widget