Gujarat Assembly Election 2022: દાહોદમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- 'આ ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટવાના છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં રેલી સંબોધિત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં રેલી સંબોધિત કરી હતી. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દાહોદ વિરોની ધરતી છે. ફરી એક વખત ભાજપની સરકાર બનાવવા માટે એડવાન્સમાં અભિનંદન આપું છું. આ ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટવાના છે. જનતા મારા માટે ઇશ્વરનો અવતાર છે. કોગ્રેસ જીત બાદ મતદારો સામે પણ જોતી નથી.
Live: લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું દાહોદ ખાતે વિજય સંકલ્પ સંમેલન #ગુજરાતના_દિલમાં_ફક્ત_ભાજપ https://t.co/pQkl9yQr39
— BJP Gujarat (@BJP4Gujarat) November 23, 2022
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોગ્રેસની સરકારમાં આદિવાસી દેવામાં જ ડૂબેલો રહેતો હતો. કોગ્રેસની સરકારમાં શૌચાલયની સુવિધા નહોતી. આદિવાસી પરિવાર સાથે મારો પારિવારીક સંબંધ છે. ઘરનો માણસ હોય ત્યાં કામમાં કોઇ ખોટ ન હોય. હિંદુસ્તાનને દોડાવે તેવા એન્જિન દાહોદમાં બનવાના છે.
આ ભારતીય જનતા પાર્ટી છે જેણે પહેલી વાર દેશમાં આદિવાસી રાષ્ટ્રપતિ અને એમાં પણ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાની અંદર એક સંદેશ આપ્યો છે
— BJP Gujarat (@BJP4Gujarat) November 23, 2022
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી#ગુજરાતના_દિલમાં_ફક્ત_ભાજપ pic.twitter.com/8V4QByztxA
વડાપ્રધાન મોદીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે એક ભાઇ પદ માટે પદયાત્રા કરી રહ્યા છે. એક આદિવાસી દિકરીને રાષ્ટ્રપતિ બનાવતા હતા પરંતુ એ ભાઇએ ટેકો ન આપ્યો. આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનતા અટકાવવા વિપક્ષે ઉમેદવાર ઉભા રાખ્યા હતા. આદિવાસી પરિવારના રોટલા ખાઇને હું મોટો થયો છું. આદિવાસીઓના વિકાસ માટે અમે અનેક યોજના બનાવી છે. ભારત અને ગુજરાતમાં વિમાન બનાવવાના કારખાના લાવ્યા છીએ. અમે ગામડાના માણસો અને ભારતની પ્રગતિની ચિંતા કરીએ છીએ. અમે ગરીબો અને ખેડૂતોની ચિંતા કરી છે.
આજે 75 વર્ષ પછી પણ કોંગ્રેસના લોકોને ક્યારેય કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો.
— BJP Gujarat (@BJP4Gujarat) November 23, 2022
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી#ગુજરાતના_દિલમાં_ફક્ત_ભાજપ
વડાપ્રધાને કહ્યું કે દાહોદમાં જૂના સાથીઓનો મળવાનો મોકો મળ્યો. મતદારોએ મને સત્તા માટે નહી સેવા માટે મોકલ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એ જ અમારો મંત્ર છે. વિશ્વમાં ભારતનું નામ રોશન થાય એ માટે કામ કરી રહ્યા છીએ. કોગ્રેસે આદિવાસી સમાજની ક્યારેય ચિંતા કરી નથી. કોગ્રેસે સત્તામાં રહી પરંતુ આદિવાસીને રાષ્ટ્રપતિ ન બનાવ્યા.