મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા મહાકુંભમાં, કહ્યું- ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું એ સૌભાગ્યની વાત
પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટી રહેલી લોકોની ભીડ વચ્ચે શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શ્રદ્ધાથી સ્નાન કરવા પહોંચ્યા હતા.

પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટી રહેલી લોકોની ભીડ વચ્ચે શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શ્રદ્ધાથી સ્નાન કરવા પહોંચ્યા હતા. સંગમ ત્રિવેણીમાં સ્નાન કર્યા બાદ તેમણે યોગી સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કુંભ વિસ્તારમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્યાંય પણ કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. તેણે એમ પણ કહ્યું કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. સંગમ સ્નાન કરતા પહેલા મુખ્યમંત્રીએ બડે હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ સેક્ટર 7 સ્થિત ગુજરાત પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી.
પવિત્ર સ્નાન સાથે કરી પૂજા
ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગી સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કુંભ વિસ્તારમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્યાંય પણ કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓથી બધું જ અદ્ભુત છે. સ્વચ્છતાથી લઈને દરેક સુવિધા સુધી બધું ખૂબ જ સારું છે." મુખ્યમંત્રી ભૂપેંદ્ર પેટેલે કહ્યું, "મારા માટે સૌભાગ્યની વાત છે કે અમને પવિત્ર સ્નાન કરવાની તક મળી. ભારતના આસ્થાના કેન્દ્ર એવા ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી દરેક વ્યક્તિ પોતાને ભાગ્યશાળી માને છે." મુખ્ય પ્રધાન મોટરબોટ દ્વારા સંપૂર્ણ સુરક્ષામાં ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા અને અહીં તેમણે વૈદિક મંત્રોચ્ચાર અને શ્લોક સાથે શ્રદ્ધાથી સ્નાન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભગવાન સૂર્યને અર્ઘ્ય પણ અર્પણ કર્યું હતું. તેમની સાથે ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ પણ પવિત્ર સ્નાન કર્યું હતું. આ પછી મુખ્યમંત્રીએ ગંગા પૂજા અને ગંગા આરતી પણ કરી હતી.
400 બેડની ડોરમેટરીનું ઉદ્ઘાટન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સવારે 9 વાગ્યે સ્ટેટ એરક્રાફ્ટ દ્વારા પ્રયાગરાજ પહોંચ્યા હતા. રાજ્યના ઔદ્યોગિક વિકાસ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ તેમનું સ્વાગત કર્યું હતું. અહીંથી તેઓ સીધા બડે હનુમાન મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે પૂર્ણ વિધિઓ સાથે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા અને આરતી કરી. મંદિરના મહંત અને બાગમ્બરી ગાદીના વડા બલબીર ગીરીજી મહારાજ વતી લેટે હનુમાન મંદિરની પ્રતિકૃતિ મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવી હતી. બડે હનુમાન મંદિરમાં દર્શન અને પૂજા કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેક્ટર 7 સ્થિત ગુજરાત પેવેલિયન પહોંચ્યા હતા. અહીં તેમણે પેવેલિયનનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત પેવેલિયન ખાતે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી આશ્રમ અને સૂર્ય મંદિરની પ્રતિકૃતિઓનું નિરીક્ષણ કર્યું, જ્યારે મેડિકલ કેમ્પ, સાહિત્યના સ્ટોલ અને અન્ય ગેલેરીઓની પણ મુલાકાત લીધી. અહીં તેઓ ગુજરાતના ઉત્પાદનોના પ્રદર્શનમાં પણ ગયા હતા અને તમામ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તેમણે અહીં 400 બેડની ડોરમેટરીનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
