શોધખોળ કરો

ખેડૂતોને થયેલા નુકસાનના સર્વે અંગે CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્ત્વનો નિર્ણય, સર્વેની કામગીરીમાં ગામડાના આ લોકો પણ જોડાશે

Gujarat farmer survey: કમોસમી વરસાદનો માર સહન કરનાર એકપણ ખેડૂતને અન્યાય ન થાય તેની કાળજી લેવા સરકાર સતર્ક; હવે માત્ર VCE અને સરકારી કર્મચારીઓ નહીં, પરંતુ ગામેગામના સહકારી યુવાનોની મદદ લેવાશે.

CM Bhupendra Patel: રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)થી થયેલા પાક નુકસાનના સર્વેની કામગીરીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. માવઠાનો માર સહન કરનાર એકપણ ખેડૂતને જરા પણ નુકસાન ન થાય અને વાસ્તવિકતાના આધારે સહાય મળી રહે તે માટે સરકારે સર્વેની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે.

આ અંગેની માહિતી ઓલપાડ ખાતે પૂર્વ મંત્રી મુકેશ પટેલની આગેવાનીમાં મળેલી બેઠકમાં આપવામાં આવી હતી. હવે કમોસમી વરસાદથી થયેલા નુકસાનના સર્વેમાં માત્ર VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) અને સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ ગામેગામની સહકારી મંડળીના શિક્ષિત યુવાનોને પણ જોડવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી સર્વેની કામગીરીમાં પારદર્શિતા વધશે અને ઝડપ આવશે. ખેડૂતોને યોગ્ય અને સમયસર વળતર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પૂરી કાળજી રાખી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં વ્યાપક નુકસાન

મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૧.૪૫ લાખ હેક્ટરમાં ડાંગર અને શેરડીનો પાક છે. છેલ્લા બે દિવસના ધોધમાર વરસાદથી આ પાકને મોટું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, "મંડળીના ગોડાઉનમાં ડાંગરની આવક થઈ રહી હતી, તે વેળાએ ખેડૂતોના મોંમાં આવેલો પાક માવઠાના કારણે છીનવાઈ ગયો છે."

સર્વેની પ્રક્રિયા અને વળતર

ધારાસભ્યએ માહિતી આપી હતી કે, નુકસાનીનો વિગતવાર સર્વે કરવા માટે અધિકારીઓ અને ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી છે. સર્વેમાં ખેતી વિભાગના અધિકારીની સાથે સરકારના પ્રતિનિધિ અને ખેડૂત આગેવાનો પણ હાજર રહેશે, અને ઊભા પાક તેમજ રસ્તા પર સૂકવવા રાખવામાં આવેલ પાક બંનેનો સર્વે કરવામાં આવશે. આ સર્વેનો રિપોર્ટ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે, અને સરકાર ખેડૂતોને પૂરતું વળતર આપવા માટે સકારાત્મક છે.

ઊભા પાક અને શિયાળુ વાવેતર માટે માર્ગદર્શિકા

કમોસમી વરસાદના કારણે અનેક પાક હજુ પણ ખેતરોમાં ઊભા છે. આ ઊભેલા પાકમાંથી ખેડૂતો થોડું ઘણું મેળવી શકે તે માટે રાજ્ય સરકારે એક વિશેષ માર્ગદર્શિકા (Guidelines) તૈયાર કરી છે. આ ઉપરાંત, આગામી શિયાળુ પાક માટેના વાવેતરના ઝોન મુજબ પાક કરવા અંગેની એક નવી માર્ગદર્શિકા પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. આ પગલાંનો હેતુ એ છે કે ખેડૂતો ઓછામાં ઓછું નુકસાન ભોગવે અને આગામી પાકની તૈયારી યોગ્ય રીતે કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Gujarat ATS: ગાંધીનગર પાસેથી  ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ
Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરની અછત, ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈન
Cyber Fraud Case: સાયબર ફ્રોડ ગેંગનું પાકિસ્તાન કનેક્શન , USDTથી પાકિસ્તાન મોકલતા નાણા
Gujarat Weather Update: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 12 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન
Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
'હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી': RSSની નોંધણી અને કરમુક્તિ વિવાદ પર મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો કેમ કહી આ વાત
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન  ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Maharashtra: ઠાકરે પરિવારના ઘર પર ડ્રોન ઉડતા મચ્યો હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
આજે જૂનાગઢનો મુક્તિ દિવસ,CM એ આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી કર્યું સન્માન
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
દાદી પાસે સુતી હતી માસુમ....મચ્છરદાની કાપીને કર્યું અપહરણ પછી કર્યો બળાત્કાર, બીજા દિવસે લોહીથી લથપથ મળી લાશ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
રાજકોટ આહિર સમાજનો ક્રાંતિકારી નિર્ણય: પ્રિ-વેડિંગ ફોટોશૂટ, કંકુ પગલાં અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
હવે બેંક ખાતા વગર પણ ચાલશે UPI! બાળકો પણ કરી શકશે ઓનલાઈન પેમેન્ટ; જાણો સંપૂર્ણ વિગતો
Embed widget