![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 176 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 172 નાગરિકો સ્ટેબલ છે. 8,15,838 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
![Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી gujarat corona cases 19 cases of corona reported in the last 24 hours in the state Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/20/178b8a9f910e16dacd0ed773c4bc9de7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,838 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,30,094 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 176 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 172 નાગરિકો સ્ટેબલ છે. 8,15,838 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10085 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. વલસાડ 5, અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, જૂનાગઢ 2, જામનગર 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1 અને વડોદરા કોર્પોરેશન 1 કેસ નોંધાયો છે. આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે ખુબ જ રાહતના સમાચાર કહી શકાય.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 5 ને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 4569 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 34058 નાગરિકોને રસીનો પ્રથમ અને 92902 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 100713 નાગરિકોને રસીનો પ્રથમ અને 197847 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,30,094 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,37,58,795 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)