શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1330 નવા કેસ નોંધાયા, 15 લોકોના મોત
રાજ્યમાં સતત સાતમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1330 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3123 પર પહોંચ્યો છે.
![Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1330 નવા કેસ નોંધાયા, 15 લોકોના મોત Gujarat corona cases 7 september 2020 1330 cases registered on monday in gujarat Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1330 નવા કેસ નોંધાયા, 15 લોકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/08012305/2405.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સતત સાતમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1330 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3123 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16514 એક્ટિવ કેસ છે, જ્યારે 86034 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16425 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 105,671 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 15 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 149, સુરત 111, રાજકોટ કોર્પોરેશનમાં 96, જામનગર કોર્પોરેશનમાં 94, વડોદરા કોર્પોરેશનમાં 91, રાજકોટમાં 52, વડોદરામાં 37, કચ્છમાં 35, સુરેન્દ્રનગરમાં 35, ભાવનગર કોર્પોરેશનમાં 31, પંચમહાલમાં 30, મોરબી 27, અમરેલી 24, અમદાવાદ 23, મહેસાણામાં 22, ભરૂચ અને ગાંધીનગરમાં 20-20 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1276 દર્દી સાજા થયા હતા અને 72690 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 28,53,371 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 81.42 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,80,437 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,79,902 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 535 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)