શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાની રોકેટ ગતિ, દર કલાકે 44થી વધુ લોકો થયા સંક્રમિત

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા હોય તેવું ૪ જૂન એટલે કે ૨૧૧ દિવસમાં પ્રથમવાર બન્યું છે. ૨૬ જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં સૌથી વધુ ૩૯૨૭ એક્ટિવ કેસ નોંધાયા છે.

Gujarat Corona Cases:  રાજ્યમાં ઓમિક્રોનની સાથે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થવાનો ચિંતાજનક ક્રમ વર્ષ ૨૦૨૨ના પ્રથમ દિવસે જારી રહ્યો છે.શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનોના ૧૦૬૯ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે. આમ, શુક્રવારની સરખામણીએ શનિવારે કોરોનાના દૈનિક કેસમાં ૬૫%નો વધારો થયો છે. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૧ હજારથી વધુ નોંધાયા હોય તેવું ૪ જૂન એટલે કે ૨૧૧ દિવસમાં પ્રથમવાર બન્યું છે. ૨૬ જુલાઇ બાદ પ્રથમવાર રાજ્યમાં  સૌથી વધુ ૩૯૨૭ એક્ટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના ૪૦%થી વધુ કેસ માત્ર અમદાવાદમાં

ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ૧૦ દિવસમાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૫૦૦ કેસ નોંધાતા હતા. જેની સરખામણીએ છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી જ નવા ૫૫૯ કેસ નોંધાયા છે. આમ, રાજ્યના ૪૦%થી વધુ કેસ માત્ર અમદાવાદમાંથી છે. સુરત શહેરમાંથી ૧૫૬-ગ્રામ્યમાંથી ૮ સાથે ૧૬૪, વડોદરા શહેરમાંથી ૬૧-ગ્રામ્યમાંથી ૬ સાથે ૬૭, રાજકોટ શહેરમાંથી ૪૧-ગ્રામ્યમાંથી ૨૦ સાથે ૬૧, આણંદ-ખેડામાંથી ૩૯, ગાંધીનગર શહેરમાંથી ૧૭-ગ્રામ્યમાંથી ૯ સાથે ૨૬, કચ્છમાંથી ૨૨, વલસાડમાંથી ૨૧, નવસારીમાંથી ૯, મોરબીમાંથી ૮, ભરૃચમાંથી ૭, જુનાગઢ શહેરમાંથી ૪-ગ્રામ્યમાંથી ૩ સાથે ૭, જામનગર શહેરમાંથી ૫-ગ્રામ્યમાંથી ૨ સાથે ૭, દાહોદ-સાબરકાંઠામાંથી ૬, અમરેલી-ભાવનગર શહેરમાંથી ૪, ગીર સોમનાથ-મહેસાણામાંથી ૩, તાપી-મહીસાગરમાંથી ૨ જ્યારે અરવલ્લી-બનાસકાંઠા-દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આમ, ૨૫ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૮,૩૨,૮૦૧ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧ મૃત્યુ નવસારીમાં થયું છે. કોરોનાથી કુલ મરણાંક હવે ૧૦,૧૧૯ છે. છેલ્લા ૨૪ કલાકમા ૧૦૩ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૮,૭૫૫ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૩૧% છે. રાજ્યમાં હાલ ૩૯૨૭ એક્ટિવ કેસ છે અને ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે. ૨૫ ડિસેમ્બરે રાજ્યમાં ૮૩૭ એક્ટિવ કેસ હતા. આમ, એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૪૭૫%નો વધારો થયો છે.

 

હાલ અમદાવાદમાં સૌથી વધુ ૧૯૦૬, સુરતમાં ૬૧૩ દર્દી સારવાર હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧,૫૨,૦૭૨ને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ કુલ રસીકરણનો આંક હવે ૮.૯૫ કરોડ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget