શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં માત્ર 390 કેસ નોંધાયા, રિકવરી રેટ 96.64 ટકા
Gujarat Corona Cases Update 25 January: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 707 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,50,763 પર પહોંચી છે.
![Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં માત્ર 390 કેસ નોંધાયા, રિકવરી રેટ 96.64 ટકા Gujarat Corona Cases Update 25 January: only 390 cases registered in last 24 hours Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં માત્ર 390 કેસ નોંધાયા, રિકવરી રેટ 96.64 ટકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/26012708/gujarat-corona-update9.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 390 કેસ નોંધાયા હતા અને 3 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.64 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા કેસના કારણે મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી પડ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 707 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,50,763 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4345 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 લોકો વેન્ટિલેટર પર અને 4299 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4379 પર પહોંચ્યો છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 92, સુરત કોર્પોરેશનમાં 71, વડોદરા કોર્પોરેશનમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 33, વડોદરામાં 20, સુરતમાં 14, રાજકોટમાં 12, પંચમહાલમાં 9, કચ્છમાં 8, નર્મદામાં 7, ડાંગમાં 6, દાહોદ અને ગીર સોમનાથમાં 5-5, ભરૂચ-ગાંધીનગર-મોરબી-ગાંધીનગર કોર્પોરેશનમાં 4-4 કેસ નોંધાયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)