શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના સંક્રમણ વધ્યું, આજે 348 નવા કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.69 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261575 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં 348 નવા કેસ નોંધાયા હતા જ્યારે 294 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધી કુલ 2,67,767 કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4406 પર પહોંચ્યો છે. રાજ્યમાં 22 દિવસ બાદ સોમવારે કોરોનાના કેસ 300થી વધારે 315 નવા કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.69 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261575 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ 1786 એક્ટિવ કેસ છે, જેમાંથી 31 લોકો વેન્ટિલેટર પર અને 1755 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 69, વડોદરા કોર્પોરેશમાં 67, સુરત કોર્પોરેશન 61, રાજકોટ કોર્પોરેશન 44, જામનગર કોર્પોરેશન 8, રાજકોટ- 8, કચ્છ-7, આણંદ-6, ખેડા-6, મહીસાગર-6, અમદાવાદ-5, ગીર સોમનાથ-5, સુરત-5, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન 4-4 કેસ નોંધાયા હતા. રાજ્યના 8 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં અત્યાર સુધી 8,14,435 લોકોને પ્રથમ ડોઝ અને 72,713 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion