શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus: રાજ્યમાં આજે 1022 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 90.86 ટકા
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,76,608 પર પહોંચી છે.
![Coronavirus: રાજ્યમાં આજે 1022 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 90.86 ટકા Gujarat Coronavirus cases updates 1022 covid 19 patients recovered today recovery rate 90.86 per cent in the state Coronavirus: રાજ્યમાં આજે 1022 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 90.86 ટકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/05011434/coronavirus-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ રાજ્યમાં કોવિડ-19ના નવા 975 નવા કેસ નોંધાયા હતા. નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું, પરંતુ છેલ્લા બે દિવસથી 950થી વધારે કેસ આવી રહ્યા છે. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3740 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,76,608 પર પહોંચી છે. જો કે, રાહતની વાત એ છે કે, રાજ્યમાં આજે વધુ 1022 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં હાલ 12,398 એક્ટિવ કેસ છે, જ્યારે 1,60,470 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,334લોકો સ્ટેબલ છે.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1022 દર્દી સાજા થયા હતા.જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 151, સુરત કોર્પોરેશનમાં 158, વડોદરા કોર્પોરેશનમાં 45, સુરતમાં 28, વડોદરામાં 146 અને રાજકોટ કોર્પોરેશનમાં 55 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આજે રાજ્યમાં 51,572 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 62,62,122 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.86 ટકા છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 6 લોકોનાં મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 158, અમદાવાદ કોર્પોરેશનમાં 159, વડોદરા કોર્પોરેશનમાં 72, સુરતમાં 56, રાજકોટ કોર્પોરેશનમાં 52, વડોદરામાં 39, રાજકોટમાં 33, મહેસાણામાં 32, બનાસકાંઠામાં 30, પાટણમાં 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, સાબરકાંઠામાં 19, ગાંધીનગર-મોરબી-સુરેન્દ્રનગરમાં 18-18, જામનગર કોર્પોરેશનમાં 16 કેસ નોંધાયા હતા.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,03,927 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,03,184 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 113 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
બિઝનેસ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)