શોધખોળ કરો

ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રી સર્વેની મુદ્દતમાં એક વર્ષનો વધારો કર્યો

રાજ્યમાં ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્ઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ 33 જિલ્લાઓમાં ખેતીની જમીનની માપણી અને પ્રમોલગેશનની કામગીરી ચાલી રહી છે.

  • જમીન રી સર્વે અને વાંધા અરજીની મુદ્દતમાં વધારો
  • મુદ્દત વધારીને 31 ડિસેમ્બર 2025 કરાઈ
  • પ્રમોલગેશનની પ્રક્રિયા અને વાંધા અરજી ડિસેમ્બર 2025 સુધી ચાલશે

Gujarat government's farmer-oriented decision: રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જમીન રી સર્વે અને વાંધા અરજી આપવાની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ મુદ્દત આવતીકાલે એટલે કે 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરી થતી હતી, જેને હવે વધારીને 31 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે.

રાજ્યમાં ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્ઝ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ 33 જિલ્લાઓમાં ખેતીની જમીનની માપણી અને પ્રમોલગેશનની કામગીરી ચાલી રહી છે. પ્રમોલગેશન પછી, ખાતેદારો દ્વારા રેકોર્ડમાં ક્ષતિઓ સુધારવા માટે રજૂઆતો આવે છે. આ ક્ષતિઓ સુધારવા માટે, જમીન મહેસૂલ અધિનિયમની કલમ ૨૦૩ હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે, જેમાં સમય અને ખર્ચનો વ્યય થતો હતો.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, સરકારે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્ઝને સાદી અરજી દ્વારા ક્ષતિઓનો નિકાલ કરવાની સત્તા આપી છે. અગાઉ, આ અરજી કરવાની છેલ્લી તારીખ 31/12/2024 હતી, જેને હવે વધારીને 31/12/2025 કરવામાં આવી છે.

આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતોને ક્ષતિઓ સુધારવામાં થતી હેરાનગતિ અને વકીલ ફી જેવા ખર્ચથી બચાવવાનો છે. હવે ખેડૂતો પાસે અરજી કરવા માટે પૂરતો સમય હશે.

પ્રમોલગેશન પછી વાંધા અરજી રજૂ કરવાની સમય મર્યાદામાં વધારો કરવા સિવાયની અન્ય સૂચનાઓ યથાવત રહેશે.

નોંધનીય છે કે, જાન્યુઆરી 2023માં કેબિનેટની બેઠકમાં જમીન રી-સરવે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારે જૂની સરકારના જમીન રી-સરવે રદ કર્યા હતો અને નવેસરથી જ જમીન માપણી કરાવવાની જાહેરાત કરી હતી. જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સરવેના વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી.  ગુજરાત સરકારના આ નિર્ણયથી અગાઉ કરાયેલા સરવે માટે ચૂકવાયેલી 700 કરોડની રકમ પાણીમાં ગઈ હતી. મહત્વનું છે કે સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો મળી હતી. જૂના સરવેમાં અનેક ભૂલો હોવાની ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા. જેની  બાદ સરકારે ફરીથી રી-સરવેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો....

ગુજરાત જાહેર સેવા આયોગે અચાનક આ ભરતી કરી રદ, જાણો હવે આગળ શું થશે

આમ, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને તેમને રાહત આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Embed widget