શોધખોળ કરો

કોરોનાના કહેરને પગલે સૌરાષ્ટ્રના વધુ બે માર્કેટિંગ આગામી 5 દિવસ રહેશે બંધ, જાણો કયા છે આ બે માર્કેટ?

અમરેલી APMC તા. 14 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે, જ્યારે બાબરા APMC તા. 13 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે. ઉપરોકત રજાના દિવસે ખેત જણસો નહી લાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. 

અમરેલીઃ ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે શહેર-ગામો અને બજારો સ્વૈચ્છિક બંધ થઈ રહ્યા છે. હવે અમરેલીના બે માર્કેટિંગ યાર્ડ 18મી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  અમરેલી(Amreli) જિલ્લાના કોરોના વધતા  સંક્રમણને પગલે માર્કેટિંગ યાર્ડ (Marketing Yard)દ્વારા નિર્ણય લેવામમાં આવ્યો છે. 

જીલ્લાના બે સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ આગામી 5 દિવસ સુધી બંધ રહેશે. અમરેલી APMC તા. 14 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે, જ્યારે બાબરા APMC તા. 13 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે. ઉપરોકત રજાના દિવસે ખેત જણસો નહી લાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. 

રાજકોટમાં જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બે દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ અને જણસીની આવકો બંધ રહેશે. બે દિવસ ખેડૂતોને જણસી લઈને નહિ આવવા અપીલ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. વેપારીઓ આજે અને આવતીકાલે એમ બે દિવસ પોતાના વેપાર અને ધંધા રાખશે બંધ. 

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે ચારે બાજુ હવે રાજ્યમાં લોકડાઉન લગાવવાની માગ ઉઠી છે. વિપક્ષ તો ઠીક પણ હવે તો ભાજપના પક્ષમાંથી જ લોકડાઉન કરવાની માગ ઉઠી છે. અમરેલી ભાજપના આગેવાન અને ડોક્ટર કાનાબારે કોરોનાના વાયરસને લઈને ટ્વીટ કર્યું છે.

 

તેમણે ટ્વીટમાં કહ્યું કે, ગુજરાતને મહારાષ્ટ્ર બનતું અટકાવવા માટે 14 દિવસનું લોકડાઉન કરવામાં આવે. આર્થિક વિટમ્બણાઓનું જોખમ વ્હોરીને પણ રાજ્યમાં લોકડાઉન કરવું જોઈએ. શ્વાસની અવર-જવર ચાલુ રાખવી હશે તો માણસોની અવરજવર બંધ કરવી પડશે. તેમણે લોકડાઉન શા માટે જરૂરી છે તેને લઈને કારણો વીડિયોમાં રજૂ કર્યા છે.

 

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે (High Court) સુઓ મોટો કરેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરી હતી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે તેને જોતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ છે.  દરમિયાન રૂપાણી સરકારે (Rupani Government) આજે હાઈકોર્ટમાં કહ્યું  લોકડાઉનનો વિચાર નથી.લોકડાઉન (Lockdown) વિકલ્પ નથી. ગરીબ માણસોને ઘણી તકલીફો પડશે. સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી રહ્યા છીએ. ગુજરાતમાં સ્થિતિ ખરાબ છે, પણ બાકી રાજ્યો કરતા સારું કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ. કોર્ટે રાજ્યમાં થઈ રહેલા કોરોના કેસને લઈ સરકારનો ઉધડો લીધો હતો.

 

ચીફ જસ્ટિસે કહ્યું, રાજ્ય સરકારની અમુક નીતિઓથી અમે ખુશ નથી. આ નીતિઓ સુધારવાની જરૂર છે...આ વાતની આપને ખબર છે અને આ પહેલા પણ અમે એ બાબતે આ સંકેત આપી ચૂક્યા છીએ. ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકારના વકીલને ટકોર કરતાં કહ્યું જ્યારે કોઈ રાજ્ય યોગ્ય રીત ના નિર્ણયને લઈ શકતું હોય તો મહામારી ના સમયમાં કેન્દ્ર સરકાર રાજ્યને યોગ્ય માર્ગદર્શન કેમ ન આપી શકે?

 

કોર્ટે એમ પણ કહ્યું, 14 એપ્રિલ સુધીમાં જે પણ પગલાં લેવાના હોય એ લઈને એફિડેવિટ પર જણાવો. પ્રસાર માધ્યમોમાં આવતા અહેવાલોમાં તથ્ય નથી એવું કહી શકાય નહીં. પ્રસાર માધ્યમો જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ કરે છે. આ અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.

 

કોર્ટે કહ્યું અત્યારે સામાન્ય માણસને ટેસ્ટ (Corona Test)  કરાવવાનો થાય તો ત્રણ દિવસે ટેસ્ટ થાય છે અને પાંચ દિવસ રિપોર્ટ આવે છે,આવી સ્થિતિ શા માટે. તમારે મારે કે સરકારી વકીલને ટેસ્ટ કરાવવા હોય તો કદાચ એક દિવસમાં કરી આપતા હશે પણ સામાન્ય માણસને આજે પણ ત્રણ ત્રણ દિવસ રાહ જોવી પડે છે. શું આપને આ ખબર છે?

 

ગુજરાતમાં હજુ પણ એવા તાલુકાઓ અને જગ્યાઓ છે જ્યાં ટેસ્ટ નથી થતા. દરેક મહામારી ઓછામાં ઓછી ત્રણ વર્ષ ચાલી હોય આવો ઇતિહાસ છે એટલે કોરોના મહામારી ક્યારે જશે એ હાલ કહી શકાય નહીં. રસીના બે ડોઝ લીધા પછી પણ મૃત્યુ થયું હોય તેવા કિસ્સાઓ છે. રસી મદદ ચોક્કસ કરે છે પણ તકેદારી રાખવી જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Advertisement

વિડિઓઝ

Valsad Rains: વાપીમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ, ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર કરાયો બંધ
Bee Found From Bhajiya : અમદાવાદના નરોડામાં ભજીયામાંથી નકળી માખી, જુઓ દુકાન સંચાલકે શું કહ્યું?
Surat BRTS Accident News : પાંડેસરામાં BRTS બસના ચાલકે કર્યો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
BJP Leader's Letter Bomb: ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની ખુદ ભાજપના નેતાએ ખોલી પોલ
Vadodara Health Department: શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે વડોદરા આરોગ્ય વિભાગ એકશનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Health Tips: શું તમે પણ છાતીમાં બળતરાથી પરેશાન છો? તો આ 5 કુદરતી ઉપાયોથી તાત્કાલિક મેળવો રાહત
Health Tips: શું તમે પણ છાતીમાં બળતરાથી પરેશાન છો? તો આ 5 કુદરતી ઉપાયોથી તાત્કાલિક મેળવો રાહત
Instagram પર અશ્લીલ વીડિયો પોસ્ટ કરવા બદલ કેટલી મળે સજા, જાણો શું છે કાયદો?
Instagram પર અશ્લીલ વીડિયો પોસ્ટ કરવા બદલ કેટલી મળે સજા, જાણો શું છે કાયદો?
BCCI એ હટાવ્યો, હવે આ ટીમનો મુખ્ય કોચ બન્યો અભિષેક નાયર; રહી ચૂક્યો છે ગૌતમ ગંભીરનો આસિસ્ટન્ટ
BCCI એ હટાવ્યો, હવે આ ટીમનો મુખ્ય કોચ બન્યો અભિષેક નાયર; રહી ચૂક્યો છે ગૌતમ ગંભીરનો આસિસ્ટન્ટ
Embed widget