આ વર્ષે ચોમાસું 16 મેના રોજ અંદમાનમાં પહોંચશે અને ગુજરાતમાં 15 જૂન આસપાસ તેની શરૂઆત થવાની શક્યતા છે.
IMD 2026 રિપોર્ટ: દેશમાં વરસાદની ખેંચ વર્તાઈ શકે છે, જાણો કયા વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ પડશે
અલ નીનોની અસરથી દેશમાં આ વર્ષે સરેરાશ 92 ટકા એટલે કે સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની ચેતવણી; 16 મેના રોજ અંદમાનમાં ચોમાસું બેસવાની સંભાવના.

- ચોમાસું ૧૬ મેના રોજ અંદમાન પહોંચી, ૧૫ જૂન સુધી ગુજરાતમાં આવશે.
- અલ નીનોની અસરથી ૨૦૨૬માં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે.
- દેશભરમાં સરેરાશ વરસાદ LPAના ૯૨ ટકા રહેવાની શક્યતા.
- ખેડૂતો માટે ચિંતાજનક, પરંતુ દક્ષિણ ભારતમાં વરસાદ સારો રહેશે.
Gujarat monsoon 2026 forecast: કાળઝાળ ગરમીથી રાહતની રાહ જોઈ રહેલા લોકો માટે હવામાન વિભાગે ચોમાસાને લઈને એક મોટી આગાહી કરી છે. એક તરફ સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતા થોડું વહેલું એટલે કે 16 મેના રોજ અંદમાનમાં પહોંચી જશે અને ગુજરાતમાં 15 જૂન આસપાસ તેની એન્ટ્રી થઈ જશે. પરંતુ ખેડૂતો માટે ટેન્શન વધારવા વાળા સમાચાર એ છે કે, ભારતીય હવામાન વિભાગ (IMD) ના 2026 ના નવા રિપોર્ટ મુજબ આ વર્ષે અલ નીનોની અસરને કારણે દેશભરમાં વરસાદ સામાન્ય કરતા ઓછો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, દરિયામાં સાનુકૂળ પરિબળો અને ભેજવાળા પવનો સર્જાતા આ વર્ષે ચોમાસું 18 મેના બદલે 2 દિવસ વહેલું એટલે કે 16 મેના રોજ અંદમાન ટાપુઓ પર બેસી જશે. અંદમાનમાં વિધિવત આગમન બાદ મેઘરાજા આગળ વધશે અને 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે પહોંચશે. જો આ જ રીતે સિસ્ટમ આગળ વધતી રહી તો, 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત થઈ શકે છે.
જોકે, આગમન ભલે વહેલું થાય, પરંતુ IMD ના રિપોર્ટ મુજબ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું રહી શકે છે. આ વર્ષે કુલ વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 92 ટકા આસપાસ રહેવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે, 1971 થી 2020 ની વચ્ચે દેશની સરેરાશ 87 સેન્ટિમીટર હતી, જેને જોતા 90 થી 95 ટકા વચ્ચેનો વરસાદ "સામાન્ય કરતાં ઓછો" ગણવામાં આવે છે. આ નબળા ચોમાસા પાછળનું મુખ્ય કારણ પેસિફિક મહાસાગરમાં બની રહેલી 'અલ નીનો' ની સ્થિતિ છે, જે ભારતના ચોમાસા પર ખરાબ અસર કરી શકે છે.
ઓછા વરસાદની આ આગાહી ખાસ કરીને ખેતી અને પાણીના જથ્થા માટે બહુ મોટી ચિંતાનો વિષય છે. ઉત્તર અને મધ્ય ભારતના ઘણા ખેતી આધારિત રાજ્યોમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી શકે છે. જોકે, થોડી રાહતની વાત એ છે કે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો તેમજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર રાજ્યો, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં સારી રહી શકે છે.
આવતીકાલનું હવામાન: 10થી વધુ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણો કયા રાજ્યમાં શું એલર્ટ?
Frequently Asked Questions
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે?
શું આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે?
હા, અલ નીનોની અસરને કારણે આ વર્ષે દેશભરમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો નોંધાય તેવી શક્યતા છે. કુલ વરસાદ LPA ના 92 ટકા આસપાસ રહેવાની ધારણા છે.
ઓછો વરસાદ થવાનું મુખ્ય કારણ શું છે?
ઓછા વરસાદનું મુખ્ય કારણ પેસિફિક મહાસાગરમાં બની રહેલી 'અલ નીનો' ની સ્થિતિ છે, જે ભારતના ચોમાસા પર ખરાબ અસર કરી શકે છે.
કયા વિસ્તારોમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં સારી રહી શકે છે?
દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો તેમજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર રાજ્યો, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદની સ્થિતિ પ્રમાણમાં સારી રહી શકે છે.






















