શોધખોળ કરો

અમદાવાદઃ ઇસ્કોનના જશોમતિનંદનદાસજીનું નિધન, ભક્તોમાં શોકની લહેર

જશોમતિનંદનદાસજીએ રાજ્યમાં 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિના પ્રચાર-પ્રસાર દરમિયાન 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી હતી.

અમદાવાદઃ ઇસ્કોન (આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ)ના નામથી આજે ગુજરાત સહિત દેશમાં ભાગ્યે જ કોઇ અજાણ્યું હશે. ઇસ્કોનના નામને ગુજરાતમાં ગાજતું કરનારા 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું શનિવારે સાંજે વૈકુંઠગમન થયું છે. રાજ્યમાં 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિના પ્રચાર-પ્રસાર દરમિયાન 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી હતી.  જશોમતિનંદનદાસજીના નિધનના સમાચાર સાંભળી ભક્તોમાં શોકની લહેર ફરી વળી હતી. અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરના મીડિયા પ્રભારી હરેશગોવિંદદાસજીએ જણાવ્યું કે ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન 24મી ઓક્ટોબર, 2020, નિજ આસો સુદ આઠમ, શનિવારે સાંજે થયું છે. છેલ્લા 10 દિવસથી તેમની તબિયત લથડી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેઓના વૈકુંઠગમનથી ઇસ્કોન-ગુજરાતના સંસ્થાપક, કર્મઠ અને પરમ કૃષ્ણભક્તને ગુમાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જશોમતિનંદનદાસજીએ વર્ષ-1975થી ગુજરાત ઇસ્કોનની સ્થાપનામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. અમદાવાદમાં એસ.જી.હાઈવે ખાતે વર્ષ-1990ના રોજ પ્રાથમિક સ્તરના મંદિરની સ્થાપના કરી હતી ત્યારબાદ વર્ષ-1997માં વિધિવત્ શિખરબદ્ધ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. આજે અમદાવાદ જ નહીં પરંતુ વિદેશમાં પણ  અમદાવાદનું ઇસ્કોન મંદિર વિખ્યાત છે. તેમણે જણાવ્યું કે પૂજ્ય જશોમતિનંદનદાસજીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં ઇસ્કોનની પ્રવૃત્તિઓનો વિકાસ થયો હતો. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 40 જેટલા મંદિર અને કેન્દ્રોની સ્થાપના તેઓની પ્રેરણાથી થઈ છે. ખાસ કરીને તેઓની ચૈતન્ય ચરિત્રામૃત ગ્રંથ ઉપર પ્રવચનની હથોટી હોવાથી અનેક વિદ્વાનો પણ તેમને સાંભળવા માટે ઉત્સુક રહેતા હતા. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા શરૂ કરાવી હતી. ફોર્ડ મોટરના માલિક આલ્ફ્રેડ ફ્રોડ કે જેઓ હવે પૂજ્ય અંબરીષદાસજી તરીકે જાણીતા છે. તેઓ પૂજ્ય જશોમતિનંદનદાસજીના અંગત સ્નેહી રહ્યા છે અને પૂજ્ય જશોમતિનંદનદાસજીને મળવા અચૂક અમદાવાદ પણ આવતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં
Gujarat Rain: મહીસાગરમાં સતત ચોથા દિવસે વરસાદ, લુણાવાડા-સંતરામપુર અને કડાણામાં વરસાદી ઝાપટાં

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget