શોધખોળ કરો

ગુજરાતના કયા ગામમાં કૂવામાં રોટલો નાંખીને વરસાદનો વરતારો જોવાય છે? જાણો શું છે આ અનોખી પરંપરા?

અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વર્ષના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધિ સંપન થઇ હતી.

જામનગરઃ આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો વ્યાપ ક્યાય પહોચી ગયો છે, ત્યારે પણ ધાર્મિક પરમ્પરાઓને આજે કેટલાય લોકો અનુસરી રહ્યા છે, ત્યારે આવી જ એક પરંપરા આજથી નહી પણ વર્ષો વર્ષોથી જામનગર નજીક આમરા ગામે શરુ થયેલ જે આજે આજ દિવસ સુધી ચાલતી આવે છે, જામનગર નજીકના ‘આમરા’ ગામમાં રોટલાથી વરસાદનો વરતારો કરવાની પરંપરા છે. મનમાં સવાલ ઊભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય ? અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વર્ષના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. ગ્રામજનોની હાજરીમાં પૂજા અર્ચન બાદ આ વિધિ સંપન થઇ હતી.

જામનગર નજીક દ્વારકા ધોરીમાર્ગ પરના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે, ગામના સતવારા પરિવારના ઘરે બનેલ બાજરીનો રોટલો વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે. કુવા કાઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે.

દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગામના લોકો ભેગા મળીને આ પરંપરાને આખરી રૂપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પૂજા કરીને ધજા ચઢાવાય છે. જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આ વર્ષે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોવાનો આ વિધિ સાથે જોડાયેલા ગ્રામજનોનો દાવો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગરમીથી શેકાતા ગુજરાત માટે મોટી રાહત: 24 કલાકમાં તાપમાન ઘટશે, ચોમાસું 4 દિવસ વહેલું
ગરમીથી શેકાતા ગુજરાત માટે મોટી રાહત: 24 કલાકમાં તાપમાન ઘટશે, ચોમાસું 4 દિવસ વહેલું
Gujarat Weather: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું 
Gujarat Weather: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું 
Gandhinagar: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ, 2,936 શાળામાં ફક્ત એક જ શિક્ષક
Gandhinagar: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ, 2,936 શાળામાં ફક્ત એક જ શિક્ષક
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સસ્તી થઈ મુસાફરી
Hun To Bolish : હું તો બોલીશ : ખનન માફિયાઓના જાસૂસ!
Hun To Bolish : હું તો બોલીશ : આ દૂષણ રોજનું થયું!
Surendranagar Bus Fire : ચોટીલા પાસે પ્રાઇવેટ બસમાં લાગી ભીષણ આગમુસાફરોનું કરાયું રેસ્ક્યૂ
UP Namaz Controversy : 2027ની ચૂંટણી પહેલા યુપીમાં 'નમાઝ' પર સંગ્રામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fuel prices: સામાન્ય જનતાને વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલની કિંમતમા ફરી વધારો
Fuel prices: સામાન્ય જનતાને વધુ એક ઝટકો, પેટ્રોલ-ડીઝલની કિંમતમા ફરી વધારો
San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત
San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત
અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ
અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ
Meta Layoffs News: મેટામાં છટણી, કર્મચારીઓએ નાસ્તાના કાઉન્ટર લૂંટ્યા અને ચાર્જર પણ લઈ ગયા
Meta Layoffs News: મેટામાં છટણી, કર્મચારીઓએ નાસ્તાના કાઉન્ટર લૂંટ્યા અને ચાર્જર પણ લઈ ગયા
આવતીકાલનું હવામાનઃ 19 મેના રોજ 12 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ પડશે! જાણો ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
આવતીકાલનું હવામાનઃ 19 મેના રોજ 12 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ પડશે! જાણો ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? 3 રૂપિયાના વધારા છતાં કંપનીઓને 750 કરોડનું નુકસાન!
પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? 3 રૂપિયાના વધારા છતાં કંપનીઓને 750 કરોડનું નુકસાન!
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત: 13 લોકોના મોતથી આખું રાજ્ય આઘાતમાં
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત: 13 લોકોના મોતથી આખું રાજ્ય આઘાતમાં
WHOએ ઇબોલાના નવા વાયરસને વૈશ્વિક કટોકટી જાહેર કરી! ભારત સરકાર પણ એક્શનમાં, એલર્ટ જાહેર કરાયું
WHOએ ઇબોલાના નવા વાયરસને વૈશ્વિક કટોકટી જાહેર કરી! ભારત સરકાર પણ એક્શનમાં, એલર્ટ જાહેર કરાયું
Embed widget