શોધખોળ કરો

જૂનાગઢના કાશ્મીરી બાપુને આજે બપોરે ત્રણ વાગે અપાશે સમાધિ, 15 દિવસ પહેલા કહી આ વાત

બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના પાર્થિવ દેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે તેમના પાર્થિવદેહને સમાધિ અવસ્થામાં બેસાડી ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે.

જૂનાગઢઃ જૂનાગઢના કાશ્મીરી બાપુનું ગઈકાલે નિધન થયું હતું. આજે બપોરે ત્રણ વાગે પ્રયાગરાજથી વાઘંબરી ગાદીનાં શ્રીમહંત બલવીરપુરી, બાપુનાં ગુરૂભાઇ હરગોવિંદપુરીજી, મુંબઇના કેશવપુરીજી સહિતના સંતોની ઉપસ્થિતીમાં તેમને સમાધિ આપવામાં આવશે. 15 દિવસ પહેલાં તેમણે તેના સેવકને કહ્યું હતું કે, કફ ગળામાં અટકે ત્યારે શ્વાસ રૂંધાતો હોય એવું લાગે છે. આના કારણે તેઓ બહુ બોલી પણ શકતા નહોતા.

કેટલી ઉંમર હતી

કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ ઘણા વખતથી હતી. છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5 થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી. કાશ્મીરીબાપુ નિરંજની અખાડાનાં આગેવાન સંત હતા. તેમની ઉંમર 97 થી 100 વર્ષ આસપાસ હતી.

બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના પાર્થિવ દેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે તેમના પાર્થિવદેહને સમાધિ અવસ્થામાં બેસાડી કાચની પેટીમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પટેલબાપુ સાથે આત્મિયતા

વર્ષો સુધી જંગલમાં આવેલ આશ્રમમાં ધૂણી ધખાવી ભજન સાથે ભોજન કરાવી સતત અન્નક્ષેત્ર ધમધમતું રાખનાર નિરંજન અખાડાના સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતાં તેમના શિષ્યો અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. કાશ્મીરીબાપુને ઉપલાદાતારનાં પટેલબાપુ સાથે ખુબજ આત્મિયતા હતી. વર્ષો પહેલાં તેઓ ત્યાં એક-એક મહિનો રોકાતા. અવારનવાર તેમને મળવા જતા અને તેમની સાથે ગોષ્ઠિ કરતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું, સદૈવ પોતાની ફકીરીમાં રહી ભજન અને ભોજનની ગરવા ગિરનારની ગોદમાં ધૂણી ધખાવી,ગિરનારની તપોભૂમિના સંત,ભવનાથના નિરંજન અખાડાના મોભી પ.પૂ.કાશ્મીરી બાપુ આજે બ્રહ્મલીન થયા છે.ઈશ્વર પૂજ્ય બાપુના આત્માને શાંતિ અર્પે તેમજ સૌ અનુયાયીઓને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.  ૐ શાંતિ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Embed widget