શોધખોળ કરો

જૂનાગઢના કાશ્મીરી બાપુને આજે બપોરે ત્રણ વાગે અપાશે સમાધિ, 15 દિવસ પહેલા કહી આ વાત

બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના પાર્થિવ દેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે તેમના પાર્થિવદેહને સમાધિ અવસ્થામાં બેસાડી ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે.

જૂનાગઢઃ જૂનાગઢના કાશ્મીરી બાપુનું ગઈકાલે નિધન થયું હતું. આજે બપોરે ત્રણ વાગે પ્રયાગરાજથી વાઘંબરી ગાદીનાં શ્રીમહંત બલવીરપુરી, બાપુનાં ગુરૂભાઇ હરગોવિંદપુરીજી, મુંબઇના કેશવપુરીજી સહિતના સંતોની ઉપસ્થિતીમાં તેમને સમાધિ આપવામાં આવશે. 15 દિવસ પહેલાં તેમણે તેના સેવકને કહ્યું હતું કે, કફ ગળામાં અટકે ત્યારે શ્વાસ રૂંધાતો હોય એવું લાગે છે. આના કારણે તેઓ બહુ બોલી પણ શકતા નહોતા.

કેટલી ઉંમર હતી

કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ ઘણા વખતથી હતી. છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5 થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી. કાશ્મીરીબાપુ નિરંજની અખાડાનાં આગેવાન સંત હતા. તેમની ઉંમર 97 થી 100 વર્ષ આસપાસ હતી.

બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના પાર્થિવ દેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે તેમના પાર્થિવદેહને સમાધિ અવસ્થામાં બેસાડી કાચની પેટીમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પટેલબાપુ સાથે આત્મિયતા

વર્ષો સુધી જંગલમાં આવેલ આશ્રમમાં ધૂણી ધખાવી ભજન સાથે ભોજન કરાવી સતત અન્નક્ષેત્ર ધમધમતું રાખનાર નિરંજન અખાડાના સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતાં તેમના શિષ્યો અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. કાશ્મીરીબાપુને ઉપલાદાતારનાં પટેલબાપુ સાથે ખુબજ આત્મિયતા હતી. વર્ષો પહેલાં તેઓ ત્યાં એક-એક મહિનો રોકાતા. અવારનવાર તેમને મળવા જતા અને તેમની સાથે ગોષ્ઠિ કરતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું, સદૈવ પોતાની ફકીરીમાં રહી ભજન અને ભોજનની ગરવા ગિરનારની ગોદમાં ધૂણી ધખાવી,ગિરનારની તપોભૂમિના સંત,ભવનાથના નિરંજન અખાડાના મોભી પ.પૂ.કાશ્મીરી બાપુ આજે બ્રહ્મલીન થયા છે.ઈશ્વર પૂજ્ય બાપુના આત્માને શાંતિ અર્પે તેમજ સૌ અનુયાયીઓને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.  ૐ શાંતિ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 3 કલાકમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
પાટણના હાજીપુરમાં બબાલ: વરઘોડો કાઢ્યો તો જાનથી મારી નાખીશું! વરરાજાને ઘોડી પરથી પછાડી ઢોર માર માર્યો
પાટણના હાજીપુરમાં બબાલ: વરઘોડો કાઢ્યો તો જાનથી મારી નાખીશું! વરરાજાને ઘોડી પરથી પછાડી ઢોર માર માર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
બફારા વચ્ચે સૌરાષ્ટ્રના આ બે જિલ્લામાં વરસાદ શરૂ, જાણો આગામી કલાકોની હવામાન આગાહી
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ: પાણીનો ખર્ચ 23 લાખે પહોંચ્યો, ભ્રષ્ટાચારના મોટા આક્ષેપો!
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું:
મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
હવામાન નિષ્ણાતની મોટી આગાહી: આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ઘમરોળાશે
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
ગંભીરને હટાવાશે? આ દિગ્ગજ બનશે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ; શ્રેયસ અય્યર કેપ્ટન બનતા જ થઈ મોટી ભવિષ્યવાણી
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર, જાણી લો એલર્ટ
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
Embed widget