શોધખોળ કરો

Kutiyana: લોકોએ કહ્યું, આ ધારાસભ્ય અમને સોપી દો, ગ્રામજનોએ કહ્યું, ના ભાઈ, અમને આવા MLA માંડ મળ્યા છે

રાજકોટ: કુતિયાણાના ધારાસભ્ય ફરી ચર્ચામાં આવ્યા છે. વાત એમ છે કે, ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી ધારાસભ્ય કાંધલ જાડેજા સતત 11 વર્ષથી પોતાના સ્વખર્ચે છોડાવી રહ્યા છે.

રાજકોટ: કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ચર્ચામાં આવ્યા છે. વાત એમ છે કે, ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સતત 11 વર્ષથી પોતાના સ્વખર્ચે છોડાવી રહ્યા છે. આ વર્ષે પણ પોતાના ખર્ચે પાણી છોડાવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. એને લઈને ખેડૂતો તેમજ ભાદર નદી કાંઠાનાં ગામોને અને ઘેડ પંથકને મોટો લાભ મળશે. આજે પાણી છૂટતાં જ ઘેડ પંથકના આગેવાન બચુભાઈ કુછડિયાએ જણાવ્યું હતું કે, ઘણા લોકો કહે છે કે અમને આ ધારાસભ્ય આપી દ્યો, પણ અમે કહીએ છીએ કે ભાઈ, અમને આવા ધારાસભ્ય માંડ મળ્યા છે. દર વર્ષે 82 કિમીના એરિયામાં ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે.

82 કિમીના વિસ્તારના લોકોને થાય છે ફાયદો

કુતિયાણા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજા છેલ્લાં 11 વર્ષથી પોતાના સ્વખર્ચે ઘેડ પંથકના ખેડૂતો માટે સિંચાઈનું પાણી ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાથી છોડાવી રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ઘેડ પંથક સહિતના ખેડૂતોની વહારે આવી સેવાકીય કાર્ય કરી રહ્યા છે. કાંધલ જાડેજા દ્વારા ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમ ખાતે પોતાના સ્વખર્ચે પૈસા ભરીને પાણી છોડાવીને તેમના વિસ્તારના ખેડૂતોને દર વર્ષે મદદ કરે છે. ત્યારે આ પાણી છોડવામાં આવતાં ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સહિત ઘેડ અને પોરબંદર સહિત 82 કિમીના વિસ્તારના ભાદર કાંઠા અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો, માલધારીઓ સહિત સૌ કોઈને ફાયદો મળે છે.

ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ 

કુતિયાણા બેઠકના ધારાસભ્ય ધારાસભ્ય કાંધલ જાડેજાના મતવિસ્તારના આગેવાનો સિંચાઈ વિભાગની ઓફિસમાં રૂપિયા સાડા ત્રણ લાખ જેવી રકમ ભરીને ભાદર-2 ડેમમાંથી ઘેડ પંથકોના ખેડૂતો માટે સિંચાઈનું પાણી મળી રહે અને ખેડૂતોને લાભ થાય એ માટે દર વર્ષે અહીંથી પાણી છોડાવે છે. એમાં ભાદર-2 ડેમના ત્રણ દરવાજા ખોલીને 16,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. એને લઈને હાલ ભાદર કાંઠાના અને ખાસ કરીને ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ઘેડ વિસ્તારના આગેવાન બચુભાઈ કુછડિયાએ જણાવ્યું હતું કે અમે છેલ્લાં 15 વર્ષથી આ ડેમ પર આવીએ છીએ અને પાણી છોડાવીએ છીએ. 2008માં ખેડૂતો પાસેથી ફાળો ઉઘરાવી પાણી છોડાવતા, પણ 2012થી કાંધલભાઈ જાડેજા પાણી છોડાવવાના તમામ રૂપિયા ભરે છે. બધા આગેવાનો અને સરપંચોને સાથે રાખી પાણી છોડાવે છે. અહીંથી કુતિયાણા પંથક 82 કિલોમીટર થાય છે, સાથે ધોરાજી અને ઉપલેટાનાં ગામડાંને પણ સાથો સાથ લાભ મળે છે. 

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ સળંગ ત્રીજી જીત મેળવી છે. કાંધલ જાડેજા બે વખત અહીંથી NCPમાંથી જીત્યા હતા. આ વખતે અહીં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ન થતાં કાંધલ જાડજાએ NCPમાંથી રાજીનામું ધરી દીધું હતું અને સમાજવાદી પાર્ટીમાંથી ઝંપલાવ્યું હતું, જેમાં તેમણે 26 હજાર 712 મતે જીત મેળવી હતી. કાંધલ જાડેજાની સામે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર હતા. એટલે કે અહીં ચોપાંખિયો જંગ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget