શોધખોળ કરો

Kutiyana: લોકોએ કહ્યું, આ ધારાસભ્ય અમને સોપી દો, ગ્રામજનોએ કહ્યું, ના ભાઈ, અમને આવા MLA માંડ મળ્યા છે

રાજકોટ: કુતિયાણાના ધારાસભ્ય ફરી ચર્ચામાં આવ્યા છે. વાત એમ છે કે, ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી ધારાસભ્ય કાંધલ જાડેજા સતત 11 વર્ષથી પોતાના સ્વખર્ચે છોડાવી રહ્યા છે.

રાજકોટ: કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ફરી ચર્ચામાં આવ્યા છે. વાત એમ છે કે, ધોરાજીમાં ભૂખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સતત 11 વર્ષથી પોતાના સ્વખર્ચે છોડાવી રહ્યા છે. આ વર્ષે પણ પોતાના ખર્ચે પાણી છોડાવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. એને લઈને ખેડૂતો તેમજ ભાદર નદી કાંઠાનાં ગામોને અને ઘેડ પંથકને મોટો લાભ મળશે. આજે પાણી છૂટતાં જ ઘેડ પંથકના આગેવાન બચુભાઈ કુછડિયાએ જણાવ્યું હતું કે, ઘણા લોકો કહે છે કે અમને આ ધારાસભ્ય આપી દ્યો, પણ અમે કહીએ છીએ કે ભાઈ, અમને આવા ધારાસભ્ય માંડ મળ્યા છે. દર વર્ષે 82 કિમીના એરિયામાં ખેડૂતોને સીધો લાભ મળી રહ્યો છે.

82 કિમીના વિસ્તારના લોકોને થાય છે ફાયદો

કુતિયાણા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજા છેલ્લાં 11 વર્ષથી પોતાના સ્વખર્ચે ઘેડ પંથકના ખેડૂતો માટે સિંચાઈનું પાણી ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલા ભાદર-2 ડેમમાથી છોડાવી રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ઘેડ પંથક સહિતના ખેડૂતોની વહારે આવી સેવાકીય કાર્ય કરી રહ્યા છે. કાંધલ જાડેજા દ્વારા ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલા ભાદર-2 ડેમ ખાતે પોતાના સ્વખર્ચે પૈસા ભરીને પાણી છોડાવીને તેમના વિસ્તારના ખેડૂતોને દર વર્ષે મદદ કરે છે. ત્યારે આ પાણી છોડવામાં આવતાં ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સહિત ઘેડ અને પોરબંદર સહિત 82 કિમીના વિસ્તારના ભાદર કાંઠા અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો, માલધારીઓ સહિત સૌ કોઈને ફાયદો મળે છે.

ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ 

કુતિયાણા બેઠકના ધારાસભ્ય ધારાસભ્ય કાંધલ જાડેજાના મતવિસ્તારના આગેવાનો સિંચાઈ વિભાગની ઓફિસમાં રૂપિયા સાડા ત્રણ લાખ જેવી રકમ ભરીને ભાદર-2 ડેમમાંથી ઘેડ પંથકોના ખેડૂતો માટે સિંચાઈનું પાણી મળી રહે અને ખેડૂતોને લાભ થાય એ માટે દર વર્ષે અહીંથી પાણી છોડાવે છે. એમાં ભાદર-2 ડેમના ત્રણ દરવાજા ખોલીને 16,000 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. એને લઈને હાલ ભાદર કાંઠાના અને ખાસ કરીને ઘેડ પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ઘેડ વિસ્તારના આગેવાન બચુભાઈ કુછડિયાએ જણાવ્યું હતું કે અમે છેલ્લાં 15 વર્ષથી આ ડેમ પર આવીએ છીએ અને પાણી છોડાવીએ છીએ. 2008માં ખેડૂતો પાસેથી ફાળો ઉઘરાવી પાણી છોડાવતા, પણ 2012થી કાંધલભાઈ જાડેજા પાણી છોડાવવાના તમામ રૂપિયા ભરે છે. બધા આગેવાનો અને સરપંચોને સાથે રાખી પાણી છોડાવે છે. અહીંથી કુતિયાણા પંથક 82 કિલોમીટર થાય છે, સાથે ધોરાજી અને ઉપલેટાનાં ગામડાંને પણ સાથો સાથ લાભ મળે છે. 

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ સળંગ ત્રીજી જીત મેળવી છે. કાંધલ જાડેજા બે વખત અહીંથી NCPમાંથી જીત્યા હતા. આ વખતે અહીં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ન થતાં કાંધલ જાડજાએ NCPમાંથી રાજીનામું ધરી દીધું હતું અને સમાજવાદી પાર્ટીમાંથી ઝંપલાવ્યું હતું, જેમાં તેમણે 26 હજાર 712 મતે જીત મેળવી હતી. કાંધલ જાડેજાની સામે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર હતા. એટલે કે અહીં ચોપાંખિયો જંગ હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, ભાવનગર- જામનગરમાં 1-1 મૃત્યુ, સાબરકાંઠામાં 7 શંકાસ્પદ કેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget