શોધખોળ કરો

Kheda: ખેડામાં ફરી એકવાર અનાજ કૌભાંડ, ભાજપ કાઉન્સિલરની કરાઇ ધરપકડ

Kheda: દરોડામાં નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરિતિ ઝડપાઈ હતી

Kheda: ખેડાના નડિયાદમાં ગરીબોના અનાજને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.  નડિયાદના અમદાવાદી બજાર બહાર આવેલી સસ્તા અનાજની દુકાન પર પુરવઠા વિભાગની વિજલન્સ ટીમે દરોડો પાડ્યો હતો.

મોટાપાયે ગેરરિતિ થતી હોવાની માહિતીના આધારે પાડવામાં આવેલા દરોડામાં નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરિતિ ઝડપાઈ હતી. જેને લઈ શહેર મામલતદાર દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક સંજયભાઈ સચદેવ અને કોમ્પ્યુટર ઓપરેટર રાજવીર છાસટીયા વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ભાજપના કૌભાંડી કાઉન્સિલર સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ભાજપે તમામ હોદ્દા પરથી હટાવ્યો

સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક સંજયભાઈ સચદેવ નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં 3ના ભાજપના કાઉન્સીલર અને નડિયાદ શહેર સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખ પણ છે. ગરીબોનું અનાજ સગેવગે કરવાનો પર્દાફાશ થતા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી દૂર કરી દીધા હતા. પોલીસે સંજય સચદેવ અને ઓપરેટર રાજવીર છાસટીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન દુકાનમાંથી બોગસ ફિંગર પ્રિન્ટ મશીન અને અન્ય એક સોફ્ટવેર મળી આવ્યું હતું. જેના થકી સસ્તા અનાજના કાળો કારોબાર ચલાવાતો હતો.  સ્ટેટ પુરવઠા વિભાગના દરોડામાં ડમી ફિંગરપ્રિન્ટના આધારે કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો બહાર આવવા પામી છે.

દુકાનમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી

દુકાનમાંથી મળી આવેલ લેપટોપમાં તેમજ પેનડ્રાઇવમાં તપાસ કરતા શકાસ્પદ અંદાજિત 316 ફિંગર પ્રિન્ટ ઇમેજીસ તથા માય ડેટા નામની મોબાઇલ એપ્લિકેશનના સ્ક્રીનશોટની અંદાજીત 2171 ફિંગર પ્રિન્ટ ઇમેજી મળી એમ કુલ અંદાજીત 2487 ફિંગર પ્રિન્ટ તસવીરો મળી આવી હતી. તેમજ દુકાનમાથી વધારાના 23 રેશનકાર્ડ, 1 ચૂંટણીકાર્ડ,4 આધારકાર્ડ, 1 લેપટોપ, 3 મોબાઈલ, મંત્રા ડિવાઇસ અને પેનડ્રાઈવ મળી આવ્યા હતા. તમામ શંકાસ્પદ સામગ્રી કબજે લઈ તેની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.                     

આ બાબતે ડીવાયએસપી બી.આર. બાજપેયીએ જણાવ્યુ હતું કે શહેર મામલતદાર શરદકુમાર બાંભરોલીયાની ફરિયાદ મુજબ સંજય રમેશચંદ્ર સચદેવની સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. દુકાનના સંચાલક સંજય રમેશચંદ્ર સચદેવ અને કોમ્પ્યુટર ઓપરેટર રાજવીરસિંહ પ્રવિણસિંહ છાસટિયા વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.


આ તમામ બાબતમાં સવાલો એ ઉભા થાય છે કે ગરીબોનું અનાજ સગેવગે કરનાર અને ભાજપમાં હોદ્દો ધરાવતો સંજય કોની રહેમ નજર હેઠળ અને કેટલા સમયથી સસ્તા અનાજનો કાળો કારોબાર કરતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Update: રાજ્યના 180 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 2.8 ઈંચ નોંધાયો વરસાદ
Gujarat Rain Update: રાજ્યના 180 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 2.8 ઈંચ નોંધાયો વરસાદ
Gujarat Weather Update: આગામી ત્રણ કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Weather Update: આગામી ત્રણ કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget