શોધખોળ કરો

Lumpy Virus : બોટાદમાં લમ્પી વાયરસ, 988 પશુઓ અસરગ્રસ્ત, 22 પશુઓના મોત, 20 ટિમો કરી રહી છે રસીકરણ

Lumpy Virus in Gujarat : અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં 988 પશુઓ અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે.

Botad News : સમગ્ર રાજ્યની સાથે બોટાદ જિલ્લામાં પણ લમ્પી વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે.  દિવસે દિવસે અસરગ્રસ્ત પશુઓમાં વધારો  થઈ રહ્યો છે તો મૃત્યુઆંક પણ 22 પર પહોંચ્યો છે. પશુપાલન વિભાગની  20 ટીમો સાથે રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

બોટાદ જિલ્લામાં 988 પશુઓ અસરગ્રસ્ત 
ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં લંપી વાયરસનો હાહાકાર છે. ત્યારે પશુપાલકોમાં સતત ચિંતાનો વધારો થઈ રહ્યો છે. બોટાદ જિલ્લામાં દિવસેને દિવસે લંપી વાયરસના અસરગ્રસ્ત પશુઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તો અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં 988 પશુઓ  અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે.

બોટાદમાં અત્યાર સુધીમાં 22 પશુઓના મોત 
બોટાદ જિલ્લામાં લમ્પી વાયરસને કારણે  અત્યાર સુધીમાં 22 પશુઓના મોત થઈ ચૂક્યા છે. પશુપાલન વિભાગ દ્વારા અલગ અલગ 20 ટીમો બનાવી સતત કર્યશીલ બનાવી 81493 પશુઓનું  રસીકરણ કરવામાં આવ્યું છે. પશુપાલન અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો પણ છે.

સરકારી આંકડા મુજબ રાજ્યમાં  2240 પશુઓના મોત
રાજ્યમાં લમ્પી વાયરસથી હાહાકાર મચી ગયો છે. 7 ઓગસ્ટ  સુધી રાજ્યમાં લમ્પી વાયરસના કારણે  2240 પશુઓના મોત થયા છે. જ્યારે 65,000 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 42,565 પશુઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામા પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે. 118 તાલુકાના 2,463 ગામમાં લમ્પી વાયરસ પ્રસર્યો છે.

ગયા વર્ષે પણ આવ્યો હતો લમ્પી વાયરસ 
ગુજરાતમાં લમ્પી વાયરસના કહેર વચ્ચે લમ્પી વાયરસ અંગે પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે મોટું નિવેદન આપ્યું છે. પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે  નિવેદન આપ્યું છે કે લમ્પી વાયરસ નવો વાયરસ નથી, ગયા વર્ષે પણ લમ્પી વાયરસના કેસો સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે  ગયા વર્ષે લમ્પી વાયરસના 10 હજાર કેસો સામે આવ્યા હતા અને તે તમામ  અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી હતી અને તમામને સાજા કરવામાં આવ્યા હતા, કોઈ પશુનું મોત થયું નહોતું.
 
વધુમાં જેઠા ભરવાડે કહ્યું કે આ વર્ષે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં થઈને તા.01-04-2022 થી તા.05-08-2022 સુધીમાં 203 કેસો સામે આવ્યા છે જે તમામની સારવાર કરવામાં આવી છે. 05-08-2022 ના રોજ પંચમહાલમાં 16 અને મહીસાગરમાં 5 કેસો મળી આવેલા છે. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
નીતિન પટેલનો 'મોદીવાળો' અંદાજ: ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’, નામ લીધા વગર પૂર્વ મંત્રી બચુ ખાબડ પર....
નીતિન પટેલનો 'મોદીવાળો' અંદાજ: ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’, નામ લીધા વગર પૂર્વ મંત્રી બચુ ખાબડ પર....
બિહારમાં એનડીએની સરકાર જશે તો શેરબજારમાં આવશે સૌથી મોટો કડાકો, જાણો બજાર કેટલું ઘટી શકે છે
બિહારમાં એનડીએની સરકાર જશે તો શેરબજારમાં આવશે સૌથી મોટો કડાકો, જાણો બજાર કેટલું ઘટી શકે છે
Bihar Election: ચૂંટણી પરિણામ પહેલા જ તેજસ્વી યાદવે જણાવી શપથ ગ્રહણની તારીખ, ભાજપે કર્યો પલટવાર
Bihar Election: ચૂંટણી પરિણામ પહેલા જ તેજસ્વી યાદવે જણાવી શપથ ગ્રહણની તારીખ, ભાજપે કર્યો પલટવાર
Embed widget