શોધખોળ કરો

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત

દાતા અંબાજી વચ્ચે આવેલા ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ એ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર 50થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં બે યુવકો અને એક બાળકનું મોત થયું હતું.

પાલનપુર:  આજે સવારે દાતા અંબાજી વચ્ચે આવેલા ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા કઠલાલના શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. 

શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા બસમાં સવાર 50થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.  જ્યારે તંત્રને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

તમામ મુસાફરોને દાંતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.  જ્યાંથી વધુ સારવાર માટે 15થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા 50થી વધુ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 20થી વધુ ડોક્ટરની ટીમ તેમજ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા તમામ ઇજાગ્રસ્તોની સારવાર હાથ ધરવામાં આવી હતી.  

આ અકસ્માતની ઘટનામાં બે લોકો સહિત એક બાળકનું મોત થયુ હતું. આ ઘટનાને લઈને બનાસ મેડિકલ ચેરમેન પરથીભાઇ ચૌધરી જિલ્લા કલેકટર,  બનાસકાંઠા જિલ્લા પોલીસવડા સહીત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અકસ્માતની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. શંકરભાઈ ચૌધરીએ  તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સંચાલકોને સૂચના આપી છે. 

સમગ્ર ઘટનાને લઈને જિલ્લા કલેકટર અને બનાસકાંઠા એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ અકસ્માત કઈ રીતે થયો તેને લઈને ટેકનિકલ ટીમો,  એફએસએલ ટીમો પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને બસમાં રહેલા એક મુસાફરે કહ્યું કે ત્રિશૂલિયો ઘાટ ઉતરતી વખતે બસ ડ્રાઈવર રીલ્સ બનાવતો હતો તેને ના પાડતા પણ તેણે રીલ્સ બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યારબાદ અચાનક બસ પલટી ખાઈ ગઈ હતી.  ડ્રાઈવરની બેદરકારીને કારણે ઘટના બની હોય તેવું મુસાફરોએ કહ્યું હતું. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! ગુજરાતના 12 જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
Embed widget