શોધખોળ કરો

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત

દાતા અંબાજી વચ્ચે આવેલા ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ એ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર 50થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં બે યુવકો અને એક બાળકનું મોત થયું હતું.

પાલનપુર:  આજે સવારે દાતા અંબાજી વચ્ચે આવેલા ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા કઠલાલના શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. 

શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા બસમાં સવાર 50થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.  જ્યારે તંત્રને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

તમામ મુસાફરોને દાંતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.  જ્યાંથી વધુ સારવાર માટે 15થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા 50થી વધુ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 20થી વધુ ડોક્ટરની ટીમ તેમજ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા તમામ ઇજાગ્રસ્તોની સારવાર હાથ ધરવામાં આવી હતી.  

આ અકસ્માતની ઘટનામાં બે લોકો સહિત એક બાળકનું મોત થયુ હતું. આ ઘટનાને લઈને બનાસ મેડિકલ ચેરમેન પરથીભાઇ ચૌધરી જિલ્લા કલેકટર,  બનાસકાંઠા જિલ્લા પોલીસવડા સહીત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અકસ્માતની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. શંકરભાઈ ચૌધરીએ  તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સંચાલકોને સૂચના આપી છે. 

સમગ્ર ઘટનાને લઈને જિલ્લા કલેકટર અને બનાસકાંઠા એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ અકસ્માત કઈ રીતે થયો તેને લઈને ટેકનિકલ ટીમો,  એફએસએલ ટીમો પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને બસમાં રહેલા એક મુસાફરે કહ્યું કે ત્રિશૂલિયો ઘાટ ઉતરતી વખતે બસ ડ્રાઈવર રીલ્સ બનાવતો હતો તેને ના પાડતા પણ તેણે રીલ્સ બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યારબાદ અચાનક બસ પલટી ખાઈ ગઈ હતી.  ડ્રાઈવરની બેદરકારીને કારણે ઘટના બની હોય તેવું મુસાફરોએ કહ્યું હતું. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : મહાકુંભમાં જઈ રહેલા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 3ના મોતPadma Awards 2025 : પદ્મ પુરસ્કારની જાહેરાત , ગુજરાતના કયા કયા મહાનુભાવોને મળશે પદ્મ પુરસ્કાર?Hun To Bolish : હું તો બોલીશ : ટીચર્સનું ટેન્શન અને ટોર્ચર!Hun To Bolish : હું તો બોલીશ : લક્કી નહીં, લૂંટનો ડ્રો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
બેરોજગારોને નોકરી, કામદારોને 5 લાખ રૂપિયા સુધીનો વીમો, ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ વચનો આપ્યા
IND vs ENG 2nd T20 Score:  ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
IND vs ENG 2nd T20 Score: ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
Embed widget