શોધખોળ કરો

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત

દાતા અંબાજી વચ્ચે આવેલા ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ એ પલટી મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બસમાં સવાર 50થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં બે યુવકો અને એક બાળકનું મોત થયું હતું.

પાલનપુર:  આજે સવારે દાતા અંબાજી વચ્ચે આવેલા ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા કઠલાલના શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર શ્રદ્ધાળુઓ અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. 

શ્રદ્ધાળુઓ ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ નજીક પલટી મારતા બસમાં સવાર 50થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.  જ્યારે તંત્રને આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

તમામ મુસાફરોને દાંતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.  જ્યાંથી વધુ સારવાર માટે 15થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા 50થી વધુ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 20થી વધુ ડોક્ટરની ટીમ તેમજ પેરા મેડિકલ સ્ટાફ દ્વારા તમામ ઇજાગ્રસ્તોની સારવાર હાથ ધરવામાં આવી હતી.  

આ અકસ્માતની ઘટનામાં બે લોકો સહિત એક બાળકનું મોત થયુ હતું. આ ઘટનાને લઈને બનાસ મેડિકલ ચેરમેન પરથીભાઇ ચૌધરી જિલ્લા કલેકટર,  બનાસકાંઠા જિલ્લા પોલીસવડા સહીત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અકસ્માતની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. શંકરભાઈ ચૌધરીએ  તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સંચાલકોને સૂચના આપી છે. 

સમગ્ર ઘટનાને લઈને જિલ્લા કલેકટર અને બનાસકાંઠા એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ અકસ્માત કઈ રીતે થયો તેને લઈને ટેકનિકલ ટીમો,  એફએસએલ ટીમો પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને બસમાં રહેલા એક મુસાફરે કહ્યું કે ત્રિશૂલિયો ઘાટ ઉતરતી વખતે બસ ડ્રાઈવર રીલ્સ બનાવતો હતો તેને ના પાડતા પણ તેણે રીલ્સ બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યારબાદ અચાનક બસ પલટી ખાઈ ગઈ હતી.  ડ્રાઈવરની બેદરકારીને કારણે ઘટના બની હોય તેવું મુસાફરોએ કહ્યું હતું. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે CM યોગીનું મોટું નિવેદન, પોલીસને કડક નિર્દેશો આપતા કહી આ વાત
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
Vadodara: ભાયલીમાં સગીરા પર વિધર્મીઓએ આચર્યુ હતુ દુષ્કર્મ, પોલીસે ત્રણની કરી ધરપકડ, પોલીસનો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 7 કામદારોના મોત 
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Surat: સુરતમાં નવરાત્રિ આયોજકના રાતોરાત પડી ગયા પાટીયા, ખેલૈયાઓ પાસેથી ઉઘરાવ્યા લાખો રૂપિયા
Embed widget