શોધખોળ કરો

Manipur Election 2022 Date: મણિપુરની  60 બેઠકો પર 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન, આ દિવસે આવશે પરીણામ 

કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે.

કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 3 માર્ચે થશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે. રાજ્યમાં ચૂંટણી કાર્યક્રમને લઈને તારીખોની જાહેરાત થયા બાદ અહીં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મણિપુર વિધાનસભામાં 60 બેઠકો છે અને હાલમાં ભાજપની સરકાર છે.

મણિપુરમાં ચૂંટણીની તારીખો જાહેર

60 બેઠકો ધરાવતી મણિપુર વિધાનસભાનો કાર્યકાળ 19 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ પહેલા રાજ્યમાં સરકાર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. 2017 ની મણિપુર વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે NPP અને કેટલાક અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી અને એન બિરેન્દર સિંહ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે. આવી સ્થિતિમાં ભાજપ સામે સત્તા બચાવવાનો મોટો પડકાર છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2022માં ભાજપે રાજ્યમાં જીતવા માટે 40 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે.

2017ની ચૂંટણીમાં, ભાજપે મણિપુરમાં માત્ર 21 બેઠકો જીતી હતી, જેના કારણે ભાજપને સરકાર બનાવવા માટે 60 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે અન્ય પક્ષોનો ટેકો લેવો પડ્યો હતો. તે સમયે સૌથી વધુ બેઠકો જીતનાર કોંગ્રેસને 28 બેઠકો જીત્યા બાદ પણ રાજ્યની સત્તામાંથી બહાર થવું પડ્યું હતું. 

કોરોના મહામારી વચ્ચે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે ચૂંટણી સંબંધિત સમયપત્રક શેર કર્યું હતું. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ તમામ ચૂંટણી રાજ્યોમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં 403 બેઠકો માટે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ઉત્તરાખંડની તમામ 70 વિધાનસભા બેઠકો માટે 1 તબક્કામાં ચૂંટણી યોજાશે. પંજાબની 117 વિધાનસભા સીટો પર 1 તબક્કામાં મતદાન થશે. ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે પણ એક તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં 60 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે.

ચૂંટણીની તારીખ શું છે


યુપીમાં વિધાનસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાવાની છે, જ્યારે મણિપુર બે, ગોવા, ઉત્તરાખંડ અને પંજાબમાં બે તબક્કામાં માત્ર એક જ તબક્કામાં મતદાન થશે. યુપીમાં પ્રથમ તબક્કો 10 ફેબ્રુઆરી, બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, ચોથો તબક્કો 23 ફેબ્રુઆરી, પાંચમો તબક્કો 27 ફેબ્રુઆરી, છઠ્ઠો તબક્કો 3 માર્ચ, સાતમો તબક્કો 7 માર્ચના રોજ. આ સિવાય યુપી ઉપરાંત પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ ત્રણ રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. 10 માર્ચે તમામ રાજ્યોના પરીણામ આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget