શોધખોળ કરો

અમરેલી ભાજપ નેતાનો ધડાકો: મનરેગા કામોમાં 7 કરોડનો ભ્રષ્ટાચાર! મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ

વિપુલ દુધાતનો ગંભીર આક્ષેપ, ‘અધિકારીઓએ નીતિ નિયમો નેવે મૂક્યા’, IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવા માંગણી.

અમરેલી જિલ્લા ભાજપના નેતા વિપુલ દુધાતે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે. દુધાતે અમરેલી જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે મનરેગાના કામોમાં વર્ષ 2021 થી 2024 ના સમયગાળા દરમિયાન આશરે 7 થી 8 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

વિપુલ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં ગ્રામીણ શ્રમિકોને રોજગારી માત્ર અમુક તાલુકાઓમાં જ ફાળવવામાં આવી છે, જ્યારે અન્ય તાલુકાઓમાં યોગ્ય રીતે રોજગારી આપવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે જવાબદાર અધિકારીઓએ વર્ષ 2021 થી 2024 વચ્ચેના સમયગાળામાં નીતિ નિયમોને નેવે મૂકીને ભ્રષ્ટાચાર આચર્યો છે.

દુધાતે જણાવ્યું હતું કે, જો દરેક કામોની સ્થળ તપાસ કરવામાં આવે તો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓના નામ ખુલી શકે છે. આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે તેમણે IPS અધિકારી હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવાની માંગણી કરી છે.

ભાજપના નેતા દ્વારા ભાજપ શાસનમાં જ ભ્રષ્ટાચારના આક્ષેપ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વિપુલ દુધાતના આક્ષેપો બાદ હવે સરકાર આ મામલે શું પગલાં લે છે તે જોવાનું રહેશે. હાલમાં તો આ ઘટનાએ અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

પત્રમાં શું લખ્યું છે....

જય ભારત સાથ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્રારા ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તેવા હેતુસર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અમલમાં છે જેમાં રોજગારી થાય તે રકમના ૪૦ ટકા માલ મટીરીયલ્સના કામો ગામડાના વિકાસ માટે ફાળવવામાં આવે છે પરંતુ અમરેલી જીલ્લાના અલગ અલગ તાલુકામાં સને-૨૦૨૧ થી ૨૦૨૪ વચ્ચેના સમયગાળામાં જે કામો થયેલ છે તેની સામે ફકત એક-બે તાલુકાના અમુક ગામોમાં જ માલ મટીરીયલ્સના કામો ફાળવામાં આવેલ છે અને જે એક-બે તાલુકાના અમુક ગામોમાં માલ મટીરીયલ્સના કામો તેમાં જવાબદાર અધિકારીઓએ જાણી જોઈ નિયમમોને નેવે મુકી ભષ્ટ્રાચાર કરવા માટે ફાળવેલ છે અને જેમાં ૭ થી ૮ કરોડનો ભષ્ટ્રાચાર થયાની લોક ચર્ચા છે તેથી જો સને-૨૦૨૧ થી ૨૦૨૪ વચ્ચે થયેલ દરેક કામની સ્થળ તપાસ કરવામાં આવે તો આ કોભાંડમાં સામેલ અધિકારીઓ/એજન્સી કે અન્ય વ્યકિતઓના નામ ખુલ્લે તેમ છે જેથી ઉપરોકત બાબતે આઈ.પી.એસ. હસમુખ પટેલ સાહેબની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચત્તા કરી તપાસ કરાવવા વિનંતી સહ માંગણી છે.


અમરેલી ભાજપ નેતાનો ધડાકો: મનરેગા કામોમાં 7 કરોડનો ભ્રષ્ટાચાર! મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget