શોધખોળ કરો

અમરેલી ભાજપ નેતાનો ધડાકો: મનરેગા કામોમાં 7 કરોડનો ભ્રષ્ટાચાર! મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ

વિપુલ દુધાતનો ગંભીર આક્ષેપ, ‘અધિકારીઓએ નીતિ નિયમો નેવે મૂક્યા’, IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવા માંગણી.

અમરેલી જિલ્લા ભાજપના નેતા વિપુલ દુધાતે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે. દુધાતે અમરેલી જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે મનરેગાના કામોમાં વર્ષ 2021 થી 2024 ના સમયગાળા દરમિયાન આશરે 7 થી 8 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

વિપુલ દુધાતે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં ગ્રામીણ શ્રમિકોને રોજગારી માત્ર અમુક તાલુકાઓમાં જ ફાળવવામાં આવી છે, જ્યારે અન્ય તાલુકાઓમાં યોગ્ય રીતે રોજગારી આપવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે જવાબદાર અધિકારીઓએ વર્ષ 2021 થી 2024 વચ્ચેના સમયગાળામાં નીતિ નિયમોને નેવે મૂકીને ભ્રષ્ટાચાર આચર્યો છે.

દુધાતે જણાવ્યું હતું કે, જો દરેક કામોની સ્થળ તપાસ કરવામાં આવે તો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓના નામ ખુલી શકે છે. આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે તેમણે IPS અધિકારી હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવાની માંગણી કરી છે.

ભાજપના નેતા દ્વારા ભાજપ શાસનમાં જ ભ્રષ્ટાચારના આક્ષેપ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વિપુલ દુધાતના આક્ષેપો બાદ હવે સરકાર આ મામલે શું પગલાં લે છે તે જોવાનું રહેશે. હાલમાં તો આ ઘટનાએ અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

પત્રમાં શું લખ્યું છે....

જય ભારત સાથ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્રારા ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તેવા હેતુસર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અમલમાં છે જેમાં રોજગારી થાય તે રકમના ૪૦ ટકા માલ મટીરીયલ્સના કામો ગામડાના વિકાસ માટે ફાળવવામાં આવે છે પરંતુ અમરેલી જીલ્લાના અલગ અલગ તાલુકામાં સને-૨૦૨૧ થી ૨૦૨૪ વચ્ચેના સમયગાળામાં જે કામો થયેલ છે તેની સામે ફકત એક-બે તાલુકાના અમુક ગામોમાં જ માલ મટીરીયલ્સના કામો ફાળવામાં આવેલ છે અને જે એક-બે તાલુકાના અમુક ગામોમાં માલ મટીરીયલ્સના કામો તેમાં જવાબદાર અધિકારીઓએ જાણી જોઈ નિયમમોને નેવે મુકી ભષ્ટ્રાચાર કરવા માટે ફાળવેલ છે અને જેમાં ૭ થી ૮ કરોડનો ભષ્ટ્રાચાર થયાની લોક ચર્ચા છે તેથી જો સને-૨૦૨૧ થી ૨૦૨૪ વચ્ચે થયેલ દરેક કામની સ્થળ તપાસ કરવામાં આવે તો આ કોભાંડમાં સામેલ અધિકારીઓ/એજન્સી કે અન્ય વ્યકિતઓના નામ ખુલ્લે તેમ છે જેથી ઉપરોકત બાબતે આઈ.પી.એસ. હસમુખ પટેલ સાહેબની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચત્તા કરી તપાસ કરાવવા વિનંતી સહ માંગણી છે.


અમરેલી ભાજપ નેતાનો ધડાકો: મનરેગા કામોમાં 7 કરોડનો ભ્રષ્ટાચાર! મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની હાલમાં શું છે સ્થિતિ? સરકારે આપ્યો મોટો રિપોર્ટ
ઉનાળાના આકરા તાપ વચ્ચે ચોથા માવઠાનું સંકટ! આવતીકાલે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી
ઉનાળાના આકરા તાપ વચ્ચે ચોથા માવઠાનું સંકટ! આવતીકાલે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેનને આપી ટીકિટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અપમાનની રાજનીતિ!
Amreli BJP : અમરેલી ભાજપમાં ભડકો, હેમાશ્રીબેન રાદડિયાનું રાજીનામું
US Israel Iran War Update : મહાયુદ્ધનો આવી શકે છે અંત, પ્રસ્તાવ પર સહમતિ તો 15-20 દિવસમાં યુદ્ધવિરામ
Hun To Bolish: હું તો બોલીશ : રૂપિયા રળવાની રાજનીતિ!
Harsh Sanghavi : હારનું મંથન કરવાના બદલે કોંગ્રેસ ગુજરાતીઓને ગાળો આપે છે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
LPG Crisis: ઈરાન યુદ્ધ વચ્ચે સરકારનું મોટું એલાન, હવે મળશે ડબલ LPG સિલિન્ડર, જાણો કોને થશે ફાયદો ?
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
MI vs RR Preview: જસપ્રીત બુમરાહનો સામનો કરશે વૈભવ સૂર્યવંશી, પંડ્યાની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
એક પાયલટને બચાવવા માટે મોકલ્યા 155 એરક્રાફ્ટ, ટ્રમ્પે આપી ઈરાનમાં સૈન્ય મિશનની તમામ જાણકારી
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
પંજાબ ચૂંટણી પહેલા નવજોત સિંહ સિદ્ધૂએ કર્યુ નવી પાર્ટીનું એલાન, કોંગ્રેસથી અલગ થયા બાદ મોટું પગલું
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
'આવી ફિલ્મ પહેલા ક્યારેય...', ધુરંધર-2 જોઈને શું બોલ્યો કોહલી?, રણવીર સિંહની એક્ટિંગ પર શું કહ્યું?
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Amravati: અમરાવતી બની આંધ્રપ્રદેશની રાજધાની, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Delhi High Court: કારનો દરવાજો ખોલતા સમયે દુર્ઘટના થાય તો કોણ હશે જવાબદાર? દિલ્હી હાઈકોર્ટે આપ્યો આ આદેશ
Jio Plan : જિયોએ લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન, મળશે ડેઈલી 1.5GB ડેટા સહિત ઘણુ બધુ
Jio Plan : જિયોએ લોન્ચ કર્યો નવો રિચાર્જ પ્લાન, મળશે ડેઈલી 1.5GB ડેટા સહિત ઘણુ બધુ
Embed widget