શોધખોળ કરો

Loksabha Election: ડાંગ જિલ્લામાં 150થી વધુ કૉંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા

ડાંગ જિલ્લામાં 150થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા છે. 150થી વધારે કૉંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

ડાંગ : લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લામાં 150થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયા કર્યા છે. 150થી વધારે કૉંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.  આહવા તાલુકાના ધવલીદોડ, કોટબા, ધૂળા અને ઘુબીટા ગામનાં  150 જેટલા કૉંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને કૉંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો ભગવો ધારણ કાર્યો છે.  ભાજપ સંગઠન પ્રમુખ કિશોર ગાવિત, ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સંગઠન મહામંત્રી હરિરામ સાવંતના હસ્તે ખેસ પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.  ધવલીદોડ ગામના માજી સરપંચ સયજુભાઈ જાનુભાઇ ઠાકરેની આગેવાની હેઠળ 150 જેટલા કોંગ્રેસીઓએ હાથનો સાથ છોડી કમળ પકડ્યું છે.

ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત, આ 2 બેઠક પર લડશે AAP

લોકસભાની ચૂંટણીને લઈને  મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ચૂંટણી સંયુક્ત રીતે લડવાનો નિર્ણય કર્યો છે. આજે બંને પક્ષે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને  બંને પક્ષના ગઠબંધન અંગે જાહેરાત કરી છે.

 લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કૉંગ્રેસના હાથમાં ઝાડુ લીધું છે. જી હાં, હવે હાથ અને ઝાડુ બંને મળીને સંયુક્ત રીતે લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની બે બેઠકો પર કૉંગ્રેસ આપ સાથે મળીને લડશે.  આ ગઠબંધન મુજબ કોગ્રેસ લોકસભાની  24 બેઠક પર તેમના ઉમેદવાર ઉતારશે તો 2 બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડશે. ભાવનગર અને ભરૂચ આ બંને બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો અન્ય 24 પર કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. 

ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર કૉંગ્રેસ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર પોતના  ઉમેદવાર નહીં ઉતારે. ભરૂચ અને ભાવનગર બેઠક પર કૉંગ્રેસનું સરેન્ડર થયું છે. ભરૂચ,ભાવનગર સિવાયની 24 બેઠક પર AAPનું સરેન્ડર થયું છે.  

ગઠબંધનને AAPના તમામ નેતાઓએ વધાવ્યું છે. ચૈતર વસાવાએ શક્તિસિંહ ગોહિલ, મુમતાઝ પટેલનો  આભાર માન્યો છે. ઈસુદાન ગઢવીએ રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના નેતાઓનો માન્યો આભાર છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓનો ચૂંટણીમાં સહકાર મળવાનો વિશ્વાસ વ્યક્તકર્યો છે. ચૈતર વસાવાએ કહ્યુ કે,ભરૂચ લોકસભા સીટ  જીતીને  અહમદ પટેલને સાચી શ્રદ્ધાંજલિ આપીશુ.

  

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
Embed widget