શોધખોળ કરો

Nepal Protest:નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે 50થી વધુ ગુજરાતી ફસાયા, સુરક્ષિત વાપસી માટે સરકારની કવાયત

Nepal Protest: નેપાળમાં હાલ રાજકિય સંકટ ઘેરાયું છે, નેપાળમાં સોશિયલ મી઼ડિયાના પ્રતિબંધ બાદ Gen Zના ઉગ્ર પ્રદર્શનના કારણે દેશની શાંતિ ડહોળાઇ છે. આ સ્થિતિ દરમિયાન પ્રવાસે ગયેલા 50 વધુ ગુજરાતી પણ નેપાળમાં ફસાયા છે.

Nepal Protest:નેપાળમાં અશાંતિ અને હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, ગુજરાત સરકારે ત્યાં ફસાયેલા તેના નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર વલણ અપનાવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેપાળની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ત્યાં હાજર ગુજરાતી નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

નેપાળમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે.પોખરામાં ભાવનગર જિલ્લાના 43 લોકો ફસાયા છે, સુરતના 10 પ્રવાસીઓ પણ કાઠમંડૂમાં ફસાયા છે. ભાવનગરના 43 લોકો નેપાળની હોટલમાં સુરક્ષિત છે. સુરતના 10 પ્રવાસીઓ પણ કાઠમંડ  હોટલમાં સુરક્ષિત છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં મોટી સંખ્યામાં ગુજરાતી નાગરિકો પર્યટન અને અન્ય કારણોસર નેપાળ ગયા હતા. રાજ્ય સરકાર તેમની સલામતી અને સુખાકારી અંગે સંપૂર્ણપણે સતર્ક છે. સરકાર તમામ ગુજરાતી નાગરિકોને સુરક્ષિત રીતે ગુજરાત પાછા લાવવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક નેપાળમાં બનેલી ઘટનાઓની નોંધ લીધી છે. ઘણા લોકો ફરવા માટે નેપાળ જાય છે, કેન્દ્ર સરકારનો સંપર્ક કર્યો છે, તે લોકોની વ્યવસ્થા અને સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે  જણાવ્યું છે કે, નેપાળમાં ફસાયેલા તમામ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવા કાર્યરત છે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમારો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ ગુજરાતી કે ભારતીય નાગરિકને કોઈ સમસ્યા ન પડે. તેમના સુરક્ષિત પરત આવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહિલે, જે ગુજરાતના છે, દાવો કર્યો હતો કે ગુજરાતના 18 લોકો નેપાળમાં ફસાયેલા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી છે. આપણા ઘણા ભારતીયો ત્યાં ફસાયેલા છે. ગુજરાતના કેનન પટેલે ફોન પર જણાવ્યું હતું કે 18 ગુજરાતીઓનું એક જૂથ પણ તેમની સાથે અટવાયું છે.

26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ અને ત્યારબાદ થયેલા જન આંદોલન, જેને Gen-Z વિરોધ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, તેના કારણે ત્યાં અસ્થિરતાની સ્થિતિ છે. આ અશાંતિમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત અને સેંકડો ઘાયલ થયાના અહેવાલ છે, જેના કારણે નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ મંગળવારે રાજીનામું આપ્યું હતું.

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget