શોધખોળ કરો

અમદાવાદ સહિત રાજ્યમાં ક્યારથી મલ્ટીપ્લેક્સ થશે શરૂ, કઈ ફિલ્મો બતાવવામાં આવશે, જાણો વિગત

સિનેમાઘરના કાઉન્ટર પરથી ટિકિટ ખરીદશે તેમને પણ ઈ ટિકિટ મળશે. ઈ ટિકિટ લીધા બાદ દર્શક સિનેમાઘરમાં દાખલ થઈ શકશે.

અમદાવાદઃ અનલોકની ગાઈડ લાઈન પ્રમાણે આજથી દેશભરમાં મલ્ટીપ્લેક્સ ખૂલી રહ્યા છે. પરંતુ ગુજરાતના અમદાવાદ સહિત અનેક શહેરોમાં શુક્રવારથી મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટર શરૂ થશે.  સિંગલ સ્ક્રીનમાં પણ માત્ર ચાર જ શો બતાવવામાં આવશે. તેમાં પણ માત્ર ગુજરાતી ફિલ્મો બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ લોકડાઉનના 7 મહિના બાદ પહેલીવાર ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રિન થિયેટરો શરૂ તો થશે. પરંતુ તેમાં હિન્દી ફિલ્મોની જગ્યાએ માત્ર ગુજરાતી ફિલ્મો જ બતાવવામાં આવશે. સુરતમાં 10 મલ્ટીપ્લેક્ષ અને 4 થિયેટર છે, જેમાં ફકત આઈનોક્ષમાં ફિલ્મો આવતીકાલથી શરૂ થશે. 50 % બેઠકો સાથે થિયેટર શરૂ કરવામાં આવશે.  સુરતનું આઈનોક્ષ 3 વાગે ફિલ્મ શરૂ કરશે. આઈનોક્ષના 4 થિયેટરમાં ફિલ્મ શરૂ થશે. વડોદરામાં પણ 9 મલ્ટીપ્લેક્ષ માલિકો થિયેટર શરુ કરવાની તૈયારીમાં લાગી ગયા છે.  આઈનોક્ષ, પીવીઆર અને સીને પોલીસના મલ્ટીપ્લેક્ષ ખુલશે. ગાઈડલાઈન પ્રમાણે  એક શો માં ફક્ત 50 લોકો જ ફિલ્મ નિહાળી શકશે તેની સાથે તમામ મલ્ટીપ્લેક્ષ સેનેટાઈઝ કરવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં મોટાભાગના મલ્ટીપ્લેક્ષ પણ આજથી નહી ખુલે.  આઇનોક્સ એક જ મલ્ટીપ્લેક્સ ખુલશે અને તે પણ 2 સ્ક્રીન ચાલુ કરશે.   મોરબીમાં થિયેટર સંપૂર્ણ બંધ રહેશે, તો મહેસાણામાં 1 મલ્ટિપ્લેક્ષ અને 1 થિયેટર  છે તે હાલ શરુ કરવામાં આવશે નહીં. સાબરકાઠામાં 17 તારીખ પછી ગાઈડલાઇન પ્રમાણે થિયેટર ચાલુ થશે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ માં 9 મલ્ટીપ્લેક્ષ અને 12 થિયેટર આવેલા છે, જે નવરાત્રિમાં ચાલુ કરવામાં આવશે. અમરેલીમાં આવેલ મલ્ટિપ્લેક્ષ શરૃ કરવામાં આવશે. ગોધરા ખાતે આવેલ મલ્ટિપ્લેક્ષ શરૂ નહીં કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. બનાસકાંઠામાં પણ થિયેટર ચાલુ કરવામાં આવશે નહીં. જ્યારે તાપીમાં સિનેમાઘરો ચાલુ કરવામાં આવશે. કેવા નિયમોનું પાલન કરવું પડશે ? - સિનેમાઘરના કાઉન્ટર પરથી ટિકિટ ખરીદશે તેમને પણ ઈ ટિકિટ મળશે. ઈ ટિકિટ લીધા બાદ દર્શક સિનેમાઘરમાં દાખલ થઈ શકશે. - જે લોકોની ઉમર 6 વર્ષથી વધારે અને 60 વર્ષથી નીચે હશે તેમને જ સિનેમાઘરમાં પ્રવેશ અપાશે. 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે. - સિનેમા હોલની અંદર એસીનું ટેમ્પરેચર 23-30 ડિગ્રી પર રાખવુ પડશે. - શો પહેલાં અથવા ઈન્ટર્વલ પહેલાં કે પછી કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવી જરૂરી છે. - કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે કોન્ટેક્ટ નંબર આપવો પડશે. - થર્મલ સ્ક્રીનિંગ થશે. માસ્ક પહેરવું  ફરજિયાત રહેશે, અસિમ્પ્ટોમેટિક લોકોને જ એન્ટ્રી મળશે - કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે - 50 ટકાથી વધારે બેઠક વ્યવસ્થા નહીં રાખી શકાય - એક સીટ છોડીને જ બુકિંગ થઈ શકશે. - ખાલી સીટની પાછળવાળી સીટ બુક થઈ શકશે. - બાકીની સીટ પર નોટ ટૂ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે. - કન્ટેનમેઈન ઝોનમાં થિયેટરોને અનુમતિ રહેશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget