![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
આગામી એક મહિના સુધી રાજ્યમાં શનિ-રવિ પાન-મસાલાની દુકાન બંધ રહેશે, જાણો એસોસિએશન દ્વારા શું લેવાયો નિર્ણય ?
રાજકોટ પાન-મસાલા એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે.
![આગામી એક મહિના સુધી રાજ્યમાં શનિ-રવિ પાન-મસાલાની દુકાન બંધ રહેશે, જાણો એસોસિએશન દ્વારા શું લેવાયો નિર્ણય ? Pan-masala shops will be closed on Saturdays and Sundays in Gujarat for the next one month આગામી એક મહિના સુધી રાજ્યમાં શનિ-રવિ પાન-મસાલાની દુકાન બંધ રહેશે, જાણો એસોસિએશન દ્વારા શું લેવાયો નિર્ણય ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/10/3e732b54828402b20de99cc11401e8e5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત કન્ટ્રોલ બહાર જઈ રહ્યું છે. વકરતા સંક્રમણ વચ્ચે ગામડાઓ અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પાન- મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી સહયોગ આપવાની ખાતરી આપી છે. પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને આગામી એક મહિના માટે સમગ્ર ગુજરાતમાં દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દર શનિવાર- રવિવાર સ્વયંભૂ બંધ પાળવા તૈયારી દર્શાવી છે.
આ તરફ રાજકોટમાં વકરતા કોરોના સંક્રમણને લઈ આગામી શનિ- રવિવારના પાન- મસાલા એસોસિએશને બંધ પાળવાનો નિર્ણય લીધો છે. રાજકોટ પાન-મસાલા એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ પહેલા ગઈકાલે 9 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12, રાજકોટ કોર્પોરેશન-3, વડોદરા કોર્પોરેશ-4, વડોદરા-2, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, રાજકોટ અને સુરતમાં 1-1 કેસ મળી કુલ 42 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4697 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 1296 , સુરત કોર્પોરેશનમાં 891, રાજકોટ કોર્પોરેશનમાં 340, વડોદરા કોર્પોરેશનમાં 256, સુરત 213, વડોદરા 141, જામનગર કોર્પોરેશન 123, પાટણ 118, જામનગર-98, મહેસાણા-91, બનાસકાંઠા-74, રાજકોટ-70, ભાવનગર કોર્પોરેશન-69, કચ્છ- 48, મહીસાગર-48, જુનાગઢ-46, ગાંધીનગર-45, જુનાગઢ કોર્પોરેશન-43, ગાંધીનગર કોર્પોરેશન-41, ખેડા-40, મોરબી-40, દાહોદ-37, પંચમહાલ-33, ભાવનગર-32, અમરેલી-30, આણંદ-30, નવસારીમાં 27, સાબરકાંઠા-25, ભરુચ-23, વલસાડ-23, ગીર સોમનાથ-22, નર્મદા-22, નર્મદા-22, સુરેન્દ્રનગર-22, અમદાવાદમાં -20, દેવભૂમિ દ્વારકા-14, છોટાઉદેપુર-13 અને તાપીમાં 10 કેસ નોંધાયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)