શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજ્યના 26 જિલ્લાઓની 31 Covid હોસ્પિટલમાં દર્દીની સારવાર મફત થશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વીની કુમારે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે કે રાજ્યની તમામ 31 Covid હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીની મફત સારવાર કરવામાં આવશે.
![રાજ્યના 26 જિલ્લાઓની 31 Covid હોસ્પિટલમાં દર્દીની સારવાર મફત થશે Patient treatment will be free at 31 Covid hospitals in 26 districts of the state રાજ્યના 26 જિલ્લાઓની 31 Covid હોસ્પિટલમાં દર્દીની સારવાર મફત થશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/17230312/Cmo.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વીની કુમારે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે કે રાજ્યની તમામ 31 Covid હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીની મફત સારવાર કરવામાં આવશે.
31 ખાનગી હોસ્પિટલો પાસે સરકારે બે મહિનાનો કરાર કર્યો છે. કરાર આધારિત તમામ પ્રકારની સારવાર મફત કરવામાં આવશે. રાજ્ય સરકારના ખર્ચે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર દવા અને PPE કીટ આપશે. દર્દીના સારવાર કરનારા સ્ટાફમાંથી કોઇનું અવસાન થાય તો મૃતકના પરિવારજનોને 25 લાખની સહાય કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી હતી. 20 એપ્રિલથી બાદ તબક્કાવાર કેટલાક એકમોને છૂટ અપાશે. નિયમના પાલન સાથે ઉદ્યોગ શરૂ કરી શકાશે. APMCમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે જરૂરી. વર્ગ-3 અને વર્ગ-4ના ત્રીજા ભાગના કર્મચારીને જ બોલાવાશે. હોટસ્પોટ અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી ઓફિસ બંધ રહેશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)