શોધખોળ કરો

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી, આગામી 48 કલાક ધોધમાર વરસાદ વરસી શકે

આજે અને આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગના અનુસાર આગામી 48 કલાક ગુજરાતમાં  ધોધમાર વરસાદ વરસી શકે છે.

ગાંધીનગર:  આજે અને આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે.  હવામાન વિભાગના અનુસાર આગામી 48 કલાક ગુજરાતમાં  ધોધમાર વરસાદ વરસી શકે છે.  આજે અરવલ્લી, મહીસાગર, વલસાડ, ડાંગ, તાપી તો આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગરમાં  વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ અમદાવાદ વરસશે સામાન્ય વરસાદ. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

 

નર્મદા ડેમની જળ સપાટી 126.66 મીટરે પહોંચી

નર્મદા ડેમની જળ સપાટી 126.66 મીટરે પહોંચી છે.  ડેમની જળ સપાટી વધતા વીજ મથક શરૂ કરવામાં આવ્યા છે.  રિવરબેડ પાવર હાઉસના 200 મેગાવોટના 6 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે.  નર્મદા ડેમ માં છેલ્લા દસ દિવસથી ચાલતા જળ વિદ્યુત મથક દ્વારા રોજની લગભગ 40 લાખની કિંમતની 20 મિલીયન યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

રિવરબેડ પાવર હાઉસ દ્વારા 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.  કેનાલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટનું 1 યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.  કેનાલ હેડ પાવર હાઉસના 1 યુનિટ મારફતે દરરોજ સરેરાશ 1 લાખની કિંમતનું 0.5 મિલીયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાં કેનાલ હેડ પાવર હાઉસ થકી 3500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  ગુજરાતના વિવિધ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget