શોધખોળ કરો

Junagadh: ગુરૂ દત્તાત્રેય શિખર પર જૈન સમુદાય દ્વારા કરવામાં આવેલ હલ્લાબોલ મામલે નોંધાઈ ફરિયાદ, સંતોએ કહ્યું, પાલીતાણા જેવું ગિરનારમાં નથી થવા દેવું

જૂનાગઢ: ગિરનાર પર્વત પરના ગુરૂ દત્તાત્રેય શિખર પર દિગંબર જૈન સમુદાય દ્વારા સુત્રોચ્ચાર કરી હલ્લાબોલ કરવા મામલે હવે સંતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે ભવનાથ શ્રી ભારતી આશ્રમ ખાતે સંત સંમેલન યોજાયું હતું.

જૂનાગઢ: ગિરનાર પર્વત પરના ગુરૂ દત્તાત્રેય શિખર પર દિગંબર જૈન સમુદાય દ્વારા સુત્રોચ્ચાર કરી હલ્લાબોલ કરવા મામલે હવે સંતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે ભવનાથ શ્રી ભારતી આશ્રમ ખાતે સંત સંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.


Junagadh: ગુરૂ દત્તાત્રેય શિખર પર જૈન સમુદાય દ્વારા કરવામાં આવેલ હલ્લાબોલ મામલે નોંધાઈ ફરિયાદ, સંતોએ કહ્યું, પાલીતાણા જેવું ગિરનારમાં નથી થવા દેવું

આ સંત સંમેલનમાં પરબધામના કરશનદાસ બાપુ, અગ્નિ અખાડાના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ, ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના યોગીશ્રી શેરનાથજી બાપુ, મહામંડલેશ્વર શ્રી હરીહરાનંદ ભારતી બાપુ, બળેજના ભુવા આતા શ્રી જેઠા આતા, અંબાજી મંદિર મોટાપીરબાવા તનસુખગીરીજી બાપુ સહીત મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંત સંમેલનમાં સનાતન ધર્મના સંતો મહંતો, ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

પાલીતાણામાં 12 વર્ષથી સાધુઓ લડે છે

આ સંત સંમેલનમાં મહેશગિરીએ કહ્યું કે, સનાતન માટે બધા ભેગા થયા છે. પાલીતાણામાં 12 વર્ષથી સાધુઓ લડે છે અહીં ગિરનારમાં એટલો સમય નથી થવા દેવો. શાંતિથી અમને રહેવા દો. તમે શિખર પરથી ઉતર્યા અને સલામત રેલવે સ્ટેશન પહોંચ્યા એ અમારી સાધુની કૃપા જ હતી. FIR કાલે રાતે નોંધાઈ, આ સનાતનની તાકાત છે.

 

તમને જણાવી દઈએ કે, 1 ઓક્ટોબરના રોજ ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય શિખર પર આ ઘટના બની હતી. જેમાં જૈન સમુદાયના કેટલાક લોકો દ્વારા સુત્રોચ્ચાર અને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ઘટનાના એક અઠવાડિયા બાદ સાધુ સંતો દ્વારા પત્રકાર પરિષદ યોજી ફરીયાદ દાખલ કરવા માંગ કરવામાં આવી હતી. અરજી બાદ પણ પોલીસ દ્વારા ફરીયાદ દાખલ કરવામાં નહીં આવતા FIR દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી. સંત સંમેલનની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગઈકાલે આ મુદ્દે પોલીસ ફરીયાદ નોંધાઈ. ભવનાથ પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત સાત લોકો સામે ગુન્હો નોંધાયો છે. 

કુલ 7  લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ

સુધીર નામના શખ્સ સહીત કુલ 7  લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે. તો બીજી તરફ સાધુ સંતોમાં જૈન અનુયાયીઓ વિરુદ્ધ ફરિયાદ નહી નોંધવા બાબતે ખુબ રોષ હતો. ૧/૧૦/૨૩ ના રોજ દતાત્રય શિખર પર બનેલા બનાવ બાદ ૭/૧૦/૨૩ ના રોજ સાધુ સંતો દ્વારા ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જે બાદ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
પ્રજાને ધક્કા ન ખવડાવો, કામ થતું હોય તો તરત કરો, નહીંતર ના પાડો: સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના
પ્રજાને ધક્કા ન ખવડાવો, કામ થતું હોય તો તરત કરો, નહીંતર ના પાડો: સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget