શોધખોળ કરો

આમ આદમી પાર્ટીના સોસીયલ મીડિયા ગૃપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર

Aam Aadmi Party: આમ આદમી પાર્ટીના સોસીયલ મીડિયા ગૃપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી ગ્રુપમાં અશ્લીલ  પોસ્ટ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો.

અરવલ્લી: આમ આદમી પાર્ટીના સોસીયલ મીડિયા ગૃપમાં અશ્લીલ પોસ્ટ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી ગ્રુપમાં અશ્લીલ  પોસ્ટ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. વોટ્સએપ ગ્રુપમાં રંગીન મિજાજી કાર્યકરે અશ્લીલ તસવીર વાઇરલ કરતા અન્ય સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિવાદ વધતા ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ ડીલીટ કરવા અન્ય કાર્યકરોએ કહ્યું હતું. આ ઉપરાંત AAP જેવી પાર્ટીમાં આવા કાર્યકરો સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં ? આજે સોનિયા ગાંધી સાથે કરી શકે છે મુલાકાત

નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેને લઈ સસ્પેંશ યથાવત છે. તેવામાં મિશન 2022 માટે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ લઈ શકે છે મહત્વનો નિર્ણય. નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશ અંગે આજે લેવાઈ શકે છે મોટો નિર્ણય. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અચાનક દિલ્લી પહોંચ્યા છે અને નરેશ પટેલની આજે સોનિયા ગાંધી સાથે બેઠક મળી શકે છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરી શકે છે અને આ બેઠક બાદ આજે સમગ્ર મામલે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. ગઈકાલથી જ નરેશ પટેલ દિલ્લીના પ્રવાસે છે. નરેશ પટેલની કૉંગ્રેસ હાઈકમાંડ સાથેની બેઠક પર પાટીદાર સમાજના આગેવાનોની નજર છે.

નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત

સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી તેમજ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે સસ્પેન્સ હજી પણ યથાવત છે.  છેલ્લે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે કહ્યું હતું કે પાટીદાર સહીત અન્ય સમજો સાથે બેઠકો શરૂ છે. આ ઉપરાંત ખોડલધામ દ્વારા પણ સર્વે કરવામાં આવી રહ્યો છે.  અગાઉ ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશું, સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને જિલ્લા અને તાલુકા લેવલે સમિતી છે તેમાં સર્વે ચાલી રહ્યો છે.

નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વિકારી હતી

નરેશભાઈ પટેલે કહ્યું કે પ્રશાંત કિશોર સાથે ખૂબ જૂનો સબંધ છે તેના લીધે મળવાનું થયું છે. નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વિકારી હતી. નરેશ પટેલ પોતે રાજકારણમાં જોડાવવા ઈચ્છતા હોવાની વાત તેમણે મીડિયા સમક્ષ સ્વિકાર કરી હતી. તેમણે કહ્યું રાજનીતિમાં જોડાવા અંગે સમાજમાં સર્વે કરાવી એપ્રિલમાં લેશે નિર્ણય. નરેશભાઈ પટેલે કહ્યું હતું કે,  ગુજરાતનાં તમામ ગામડાઓથી લઈને શહેર અને જીલ્લામાં વસતા દરેક સમાજના લોકોના અંગત પ્રતિભાવો એકઠા કરીને એક રીપોર્ટનું નિર્માણ કરશે જે રીપોર્ટ આવ્યા બાદ જ પોતે આખરી નિર્ણય લેશે. રાજકારણમાં જશે તો કઈ પાર્ટી સાથે જોડાશે તે પ્રશ્નનાં જવાબમાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું કે, સર્વે સમિતિનાં રીપોર્ટ  બાદ  આ નિર્ણય લઇ શકાશે અને ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
Advertisement

વિડિઓઝ

Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
Harsh Sanghavi Vs Jignesh Mevani : ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’, મેવાણીને સંઘવીનો જવાબ
Gujarat CM : Govt Job : ગુજરાતમાં સરકારી નોકરીને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડાઘિયાનો રસ્તો કાઢો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
Aaj Nu  Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા
Aaj Nu Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
Maharashtra Politics:
Maharashtra Politics: "તમારી પાસે વોટ છે, મારી પાસે પૈસા...", અજિત પવારની મતદારોને ખુલ્લી ચીમકીથી રાજકીય ભૂકંપ
IND vs SA ODI Series: ટીમ ઈન્ડિયા પર મુસીબતનો પહાડ, કેપ્ટન શુભમન ગિલ સહિત આ દિગ્ગજો વન-ડે શ્રેણીમાંથી બહાર!
IND vs SA ODI Series: ટીમ ઈન્ડિયા પર મુસીબતનો પહાડ, કેપ્ટન શુભમન ગિલ સહિત આ દિગ્ગજો વન-ડે શ્રેણીમાંથી બહાર!
Embed widget