શોધખોળ કરો

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની માંગ, પાટીદારોની જેમ અન્ય સમાજ પરના કેસ પરત ખેંચે ગુજરાત સરકાર

Banaskantha News : કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો જિજ્ઞેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબહેન ઠાકોરે માંગ કરી છે કે ગુજરાત સરકાર પાટીદારોની જેમ અન્ય સમાજ પરના કેસ પાછા ખેંચે.

Banaskantha : ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદ થયેલા વિરોધ પ્રદર્શન અને તોફાનોમાં પાટીદારો સામે કરેલા કેસ પાછા ખેંચ્યા છે. હવે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ માંગ કરી છે કે જેમ પાટીદારો પરના કેસ પરત ખેંચાયા, તેમ અન્ય સમાજ સામેના કેસ પણ પરત ખેંચવામાં આવે.

ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યો જિજ્ઞેશ મેવાણી, ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબહેન ઠાકોરે આ માંગ સાથે  હુંકાર કર્યો કે, આવતીકાલે બનાસકાંઠાના વાવમાં જનવેદના સંમેલન યોજાશે.જેમાં પદ્માવતી ફિલ્મના વિરોધ વખતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ, ઊનાકાંડ વખતે દલિતો પર થયેલા કેસ અને આંદોલનો વખતે અન્ય સમાજ સામે થયેલા કેસ પરત ખેંચવા માંગ કરવામાં આવશે . સાથે ત્રણેય ધારાસભ્યોએ ચીમકી ઉચ્ચારી કે જો ચૂંટણી પહેલાં તેમની માંગ  ન સંતોષાઈ તો આ આંદોલન રાજ્યસ્તરે લઇ જવામાં આવશે. 

આવતીકાલે વાવમાં કોંગ્રેસના જન વેદના આંદોલનને લઈને વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યએ પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાતમાં સર્વ સમાજ પરના કેસ પરત ખેંચાય તેને લઈને આવતી કાલે જન વેદના આંદોલનનું મંડાણ થશે અને આંદોલન આગામી સમયમાં  રાજ્ય વ્યાપી હશે. 

વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે  આવતીકાલે વાવમાં યોજાનાર જન વેદના સંમેલનને લઈને પત્રકાર પરિષદ કરી હતી.  ગુજરાતમાં  પાટીદાર સમાજ પર કેસ થયા હતા અને એ પરત ખેંચાયા છે ત્યારે હવે આ ધારાસભ્યોની માગણી છે કે ગુજરાતમાં સર્વ સમાજ છે અને સરકાર પણ સર્વ સમાજની છે.  સર્વ સમાજ પર થયેલા કેસ જેમાં પોલીસ ફરિયાદ હોય જેમાં સરકાર ફરિયાદી હોય એવા કેસ પરત ખેંચવા જોઈએ. 

સાથે-સાથે વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકારના ચરિત્ર અને વર્તનને ખરાબ બતાવ્યું હતું ખોટા કેસ કરી અને ટાર્ગેટ કરી અને ગેરબંધારણીય વર્તન સરકાર કરી રહી હોવાના આરોપ લગાવ્યા હતા.  જોકે ગુજરાતમાં દરેક જિલ્લામાં એક દરેક તાલુકામાં દારૂની રેલમછેલ છે. વડગામ તાલુકામાં અગાઉ પણ લઘુમતી કોમના બોતેર જેટલા લોકો પર ખોટા કેસ કરીને જેલમાં ધકેલાયા હતા ત્યારે હવે સમગ્ર ગુજરાતના આંદોલનકારી અને કોંગ્રેસ તમામ સમાજના કેસ  પરત ખેંચવા માટે આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન થશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget