શોધખોળ કરો

PM મોદી આવતી કાલે સોમનાથને આપશે ચાર મોટી ભેટ, જાણો વિગત

સોમનાથમાં વોકવે, અહલ્યા બાઇ મંદિર અને મ્યુઝિયમનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ. આ સાથે પાર્વતી મંદિરનું કરાશે ખાતમૂહુર્ત.

સોમનાથઃ આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથને ચાર મોટી ભેટ આપવાના છે.  સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 4 પ્રોજેકટનું વર્ચ્યુલ લોકાર્પણ કરશે. સોમનાથ મહાદેવ મંદિર અને અરબી સમુદ્રની વચ્ચે બનાવેલા વોક વેને નરેન્દ્ર મોદી ખુલ્લો મુકશે. અહીંથી સોમનાથ મહાદેવ મંદિર અને સમુદ્રના ચાલતા ચાલતા દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે. એટલે કે સોમનાથ અને સમુદ્ર બંનેના અહીંથી જ દર્શન થશે.

વોક વે પરથી સોમનાથ અને સાગરનો નજારો એટલો ખૂબ સૂરત છે કે શ્રદ્ધાળુઓ અહીં જ થંભી જાય છે. મોટી સંખ્યામાં ભાવિકો વૉક વે પરથી સમુદ્ર અને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાનું પસંદ કરી રહ્યા છે, તો બાળકો આ વૉક વે પર સાઈકલિંગ કરી શકે તેવી પણ વયસ્થા છે. આ વૉક વે સોમનાથ મંદિર પાછળથી ત્રિવેણી ઘાટ સુધી એટલે કે દોઢ કિંમી લમ્બો દરિયા કિનારે નિર્માણ પામ્યો છે, જે લગભગ 47 કરોડ ના ખર્ચે નિર્માણ પામ્યો છે.

જૂનું સોમનાથ મંદિર એટલે કે અહલ્યા બાઈ મંદિર, જે લગભગ 400 વર્ષ થી વધુ જૂનું મંદિર જેનું નવીની કરણ કરવામાં આવ્યું છે. અહલ્યા બાઇ મંદિરના નવીનીકરણને લઇ સ્થાનિક પુરોહિતોમાં ખુશી છવાય છે. જેટલુ જ સોમનાથ મહાદેવ મંદિરનું મહત્વ છે તેટલું જ અહીં અહલ્યા બાઈ મદિર નું મહત્વ છે.

સોમનાથનું ભવ્ય મ્યુઝિયમ, જે પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરની ભવ્યતાની યાદ અપાવે છે. આ મ્યુઝિયમ પણ આવતી કાલે પ્રધાનમંત્રી વર્ચ્યુલ લોકાર્પણ દ્વારા ખુલ્લું મુકશે. લગભગ 1955ની આસપાસ સોમનાથ મહાદેવ મંદિર પરિસર આસપાસ  થેયેલા ખોદકામ માં સદીઓ પહેલા ધ્વંશ થયેલા સોમનાથ મંદિરના અવશેષ મળ્યા હતા, જે અવશેષો ને અહીં સાચવણી થઈ રહી છે. સોમનાથ મહાદેવ મંદિરના અવશેષોની સાચવણી થઈ શકે સાથે જ લોકો તેને જોઈ શકે તેના વિશે જાણી શકે તે હેતુથી ભવ્ય મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જે પણ આવતીકાલે પ્રધાન મંત્રી ભાવિકો માટે ખુલ્લું મુકશે. મ્યુઝીયમની અંદર તમામ અવસેસોની માહિતી પણ લખાયેલી છે, જેથી એ અવસેસ વિશે લોકોને સાચી અને સચોટ જાણકારી પણ મળે.

સોમનાથ મહાદેવ મંદિર પાસે જ આવેલા પાર્વતી મંદિરનું નિર્માણ કાર્ય માટે આવતીકાલે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ ખાતમુહુર્ત પણ કરવાના છે. લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે પાર્વતી મંદિર નિર્માંણ પામશે. સદીયો પહેલા સોમનાથ અને પાર્વતીજી બન્ને મંદીરોને લૂંટી તોડી પડાયા હતા.જો કે, સોમનાથ મંદિર ઉભું કરી દેવાયું પરંતુ પાર્વતી મંદિર હજુ સુધી ઉભું ન થઈ શક્યું, આખરે હવે તે શક્ય બની રહ્યું છે અને તેનું હવે ખાતમુહુર્ત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગેસ બુકિંગમાં મુશ્કેલી આવે છે? આ નંબર પર કરો કોલ, ગુજરાત સરકારે જાહેર કરી નવી હેલ્પલાઈન
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણ માટે નવા નિયમો લાગુ: જાણો કોને, કેટલો ગેસ મળશે
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
kerala assembly election: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Embed widget